Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૯ અંક ૫-૬ તા. ૧૭--૯૬ :
નરકમાં જઈશ” એવું ગુસ્સાના કારણે–આવેશના કારણે-બેલાય છે. જ્યારે “પાપ કરે તે નરકમાં જાય?—એવું તત્વજ્ઞાનના કારણે બોલાય છે.
તત્વજ્ઞાનના કારણે કેની ભૂલ બતાવવી તે કષાય નથી...અને આ રીતે આચાર્ય ભગવંતે મારા ક્રોધને જ પરિત્યાગ કરનારા નથી, સાથે માનાદિને પણ તજનારા હોય છે. તેઓશ્રીને વિશિષ્ટ પુણ્યને લઈને તેમની પાસે કંઈ સારી વસ્તુ ધરે છતાં તેને લોભ નથી હું તે. પુણ્યના ઢગલા વચ્ચે જીવવા છતાં માન તેમને નડે નહિ. અને માયા મુત્સદ્દીપણું તે તેઓમાં હોય જ નહિ. આચાર્ય ભગવંત કાયમ માટે સરળ હોય, જેને જેને વાતમાં ફેર કરવું હોય તેને માયા કરવી પડે. પૂ. સાહેબજીને પણ કઈ દિવસ બેલેલામાં કે લખેલામાં ફેર કરવું પડે એવું બન્યું નતું. માર્ગાનુસારી પ્રજ્ઞા અને સરળતાં આ બેના કારણે તેઓશ્રી મકકમતાપૂર્વક કઈ પણ વસ્તુનું નિરૂપણ કરી શકતા હતા.
- આ પ્રમાણે ઉપર જણાવેલા ત્રણ ગુણેને ધરનારા આચાર્ય ભગવંત કાયમ માટે ધર્મોપદેશમાં જ રત હોય છે. શિબિરે ભરવી અને તમારી પાછળ પડવું એ ધર્મોપદેશની રકતતા નથી. જેને ભગવાનની આજ્ઞાથી વિપરીત બાલવું નથી, વિકથાથી જે વિરકત છે અને કષાયને જે આધીન નથી તેવા આચાર્ય ભગવંતે જ સાચે ધર્મોપદેશ કરી. શકે. બીજા બધા તે ઉપદેશ સારામાં સારે આપે પણ ધર્મને ઉપદેશ તે આવા આચાર્ય ભગવંતે જ આપે. માટે જ તેમણે શિબિરે ભરવાનું કામ ન'તું કર્યું. ૧૦,૦૦૦નું ટોળું ભેગું કરવું હોય તે શાસ્ત્ર વાંચીને ન થાય, છાપાં વાચીને કરાય. જે સંખ્યા ઘટાડવી હોય તે આગમનું વ્યાખ્યાન વાંચવાનું અને સંખ્યા વધારવી હોય તે આગમને બાજુએ મૂકી છાપાં અને પેપરનાં કટિંગ વ્યાખ્યાનમાં વાંચવાનાં !! ખરેખર ! આજના સાધુસાડવી કઈ દિશામાં ચાલી રહ્યા છે, એ ખબર જ પડતી નથી. ૮૦ વર્ષ સુધી એકધારી ધર્મદેશના દેવા છતાં સાહેબની દેશનામાં કેઈ તફાવત જણ નથી. દેશકાળ બદલાયા છતાં દેશના ન બદલાઈ, કારણ કે તેઓશ્રી પોતે નહેતા બદલાયા. દેશકાળને જોઈને બોલવું એટલે જે વાત હોય તેને વિસ્તૃત કરીને, રહેલી કરીને જણાવે પણ વાત ન ફરે. લોકોને ગમે એવી વાત કરવાનું આ. ભગવતે ન કરે. - ભાવાચાર્ય આ ચારે ગુણે સાંભળીને આપણે નકકી કરવું છે? કે જ્યાં ધર્મોપદેશ ન હોય ત્યાં જવું નહિ. જેઓ કષાયને આધીન હેય તેવાઓને ત્યાં પગ ન મૂકે. જેઓ વિકથાથી વિરકત ન હોય તેવાનું તે પગથિયું પણ ન ચઢવું. અને જેઓ ભગવાનની આજ્ઞાથી વિપરીતપણે જીવતા હેય [પ્રમાદી હૈય] તેવાને ગુરૂ માનવા નહિ. આટલું નકકી ખરું?
આવા સુંદર પ્રકારના ગુણેને ઘરનારા એવા પ. સાહેબજીનું પડખું સેવીને, નિશ્રા લઈને, છાયામાં રહીને હવે તેને છોડીને બીજે કયાંય જવું નથી, આટલે નિર્ણય કરે છે? જેણે સુરતની છાયા સેવી હોય તેને બાવળની છાયામાં ફાવે? તડકામાં