Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૮૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) )
T
આજે અમને ઘણા પૂછે છે કે, જેમાં પણ નીતિમાન કેમ મળતા નથી? તો મારે કહેવું પડે છે કે- તે બધા ધર્મ પામેલા નહિ હોય હજી ગરીબમાં આ વાત ૧ માનનારા મળી આવશે પણ શ્રીમતો તે અમારી વાત માનતા તો નથી પણ મશ્કરી ન કરે છે અને મથી અનીતિ કરે છે.
સભા : ગરીબને પુણ્યોદય જાગૃત થાય અને કસોટી થાય તો ખબર પડે. : ઉ. : વખતે તે ય તમારા જેવો હોય તે ફરી પણ જાય. માટે તો રોજ સમ1 જાવું છું કે-શ્રીમંતાઈ તે પાપ છે. શ્રીમંતાઈ આવી તો ગાંડપણ આવ્યું. શ્રીમંત 4 થવાની ઈચ્છા તે જ પાપ.” જે શ્રીમંતને શ્રીમંતાઈ ભૂંડી લાગે તો જ તે બચી શકે છે બાકી તે પાગલ થયો સમજે. ઘરમાં રહેલા શ્રાવકને લક્ષમી વગર ચાલે નહિ, આજવિકાનું સાધન ન હોય તો તે મેળવવી પડે, છતાં પણ શ્રાવક તેને માટે અનીતિ તે ન જ કરે લખું ખાય પણ ચેપડયું ખાવા અનીતિ ન કરે.
પરલોકને માનનારા ઈતર કેવા હોય છે તેની વાત કરવી છે. જે લે કે અહીં ! સુખી હોવા છતાં અધિક પૈસા મેળવવા પાપ કરે છે, મોજમઝાદિ કરે છે તે લોકો તે !
પરલોકને માનતા નથી. તમે બધા પરાકને માને છે? { : સભા : આપને શંકા છે?
ઉં. : હા, બહુ શંકા છે માટે તે પૂછું છું.
મારે દગતિમાં જવું નથી તે દુઃખથી ડરીને પણ ધર્મ ન થઈ શકે માટે અને સદ્દગતિમાં જવું છે તે સુખ મળે માટે નહિ પણ ધર્મ સારી રીતે કરી શકું માટે ૬ આવા વિચારવાળા જ જોઈએ છે. તો આવા વિચારવાળા છે કેટલા મળે?
સભા : બધા જ.
ઉ. : મને તે એપણ લાગતું નથી. તેવા વિચારવાળા બધા હોત તો આવા ઇ પાપ નથી કરત ખરાં? “કરવાં પડે છે માટે અમે તે બધાં પાપ કરીએ છીએ તે છે બચાવ પણ તમે કરી શકે તેમ નથી. તમે બધા અનીતિ–રાજની ચેરી કરવી પડે માટે છે કરે છે કે મઝેથી કરો છો? જેને ન છૂટકે પાપ કરવું પડે તેનું તેના હૈયામાં ઘણું છે | દુઃખ હોય અને તેના વર્તન ઉપરથી દેખાઈ આવે જ્યારે તમારામાં તો તે ય દેખાતું નથી. છે
માટે તે રોજ પૂછું છું કે- તમારે બધાએ મરીને ક્યાં જવું છે? પણ કઈ જ ! જવાબ આપતું નથી. અનીતિ દુઃખથી કરતાં હોય, “આ મહાપાપ છે જ્યારે છૂટે તેવા | વિચારથી કરતા હોય તેવા જીનાં મારે દર્શન કરવાં છે.
( ક્રમશઃ )
*