Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મહાભારતના પ્રસંગો છે
[ પ્રકરણ- ]
--શ્રી રાજુભાઇ પંડિત
જન્મે, હસ્તિનાપુરનો સામ્રાજય-વારસ. અને દિવ્યવાણી થઈ કે –
“આ પુત્ર સત્યવાદીઓમાં શિરોમણિ, સજજનેમાં શ્રેષ્ઠ, સવ કાર્યદક્ષ શૌડીય છે ન (પરાક્રમ), ઉઢારતા, શૈર્ય અને ગંભીરતાને સાગર, વિનયવાન, નયવાન્ ધર્મમાં રતિ ? કરનારે સાર્વભૌમ રાજા થશે, ઘડપણમાં વ્રત ગ્રહણ કરી અંતે નિર્વાણ પામશે.” !
રડતી આંખે કુંતીની દાસીઓ કુંવારીઢશામાં જન્મેલા પુત્રને રત્નની પેટીમાં રડતો ? જ મૂકી દઈને સજળ નયને ગંગાના પ્રવાહમાં ભાગ્ય વિધાતાએ હથેળીમાં આલેખેલી છે = નસીબ-રેખાના ભરોસે તરતે મૂકી દીધું. દેખાઈ ત્યાં સુધી પુત્રરત્ન પેટને જોઈને ન ગમમીન પગલે સૌ પાછા ફર્યા.
કાસીઓ દ્વારા કુંતીકુમારીની માતા સુભદ્રાએ પાંડુરાજા સાથેના પ્રણયના સંબંમ ધથી માંડીને છેક પુત્ર જન્મ સુધીની ચોંકાવનારી હકિકત જાણ્યા પછી રાજકુમારી કુંતીના લગ્ન પાંડુરાજા સાથે થયા.
ધૃતરાષ્ટ્ર, પાંડુ, તથા વિદ્ર ત્રણેય ભાઈઓના લગ્ન થઈ ચૂક્યા હતા. મેગકાળમાં દરેકને સમય વીતી રહ્યો હતો. સમય જતાં ધૃતરાષ્ટ્ર પત્ની ગાંધારીએ ગર્ભ ધારણ કર્યો.
પાણીમાં જેવું દ્રવ્ય નાંખ્યું હોય તેવી સુગંધ આવતી હોય છે. તે ન્યાયે ગર્ભના પ્રભાવે ગાંધારીને ઉદ્ધત દેહલાઓ (મનોર) થવા લાગ્યા. પ્રજાજનેને પ્રચંડ શિક્ષા થાય, પ્રજાજને સંકટમાં સપડાઈ જાય તેવું સાંભળે કે તરત રાણી ગાંધારી ખુશ–ખુશ થવા લાગી. કારાગૃહમાં બેડીઓ બાંધવાના અવાજે તથા હાહાકારના અવાજે ગાંધારીને ખુશ કરવા લાગી. કારણ વગર જ ક્રોધથી વિકરાળ ભૂકુટિ કરનારી તે વડિલ પૂને છે | વિષે પણ તિરસ્કારથી રૂક્ષ ભાષા વાપરવા લાગી. મદોન્મત્ત હાથી ઉપર આરૂઢ થઈને ! પુરૂષનો વેષ ધારણ કરીને સ્વછંદ રીતે રાજ્યમાં ભમતા ભમતા તેણે પિતાના મનોરથ છે પૂર્ણ કર્યા. જેમ જેમ ગભ વૃદ્ધિ પામતે ગમે તેમ તેમ તેને દુર કર્મો કરવાના વધુને વધુ મનોરથો થવા લાગ્યા.
હું પૃથા-કુંતી કરતા પણ પહેલા ગર્ભ ધારણ કરનારી બની આ રીતે અભિમાની બનેલી તે ગુરૂઓ/વડિલેના તરફ પણ વિનય કરવાને બદલે તિરસ્કાર કરવા લાગી. ૧