Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
8 વર્ષ ૯ અંક ૩૬ તા. ૬-પ-૯૭ :
.: ૭૭૯
પ્રભુની આજ્ઞાથી વિરૂદ્ધ જતી વાત, મારા પિતાની હોય તે ય શું, હું તે ન જ સ્વીકારૂં. આદર્શને વળગી રહેવા મયણાએ, એમ કહી શકાય કે, સર્વસ્વનો ત્યાગ ૫ ૧ કરી બતાવ્યું તે...
‘હજી પણ વિચાર કરી લે, ધારું તેને સુખી અને ધારૂં તેને દુઃખી કરી શકું છું ! એ મારી વાતને સ્વીકાર કરવો હોય તો હજી બાજી હાથમાં છે. અને જે હજી પણ તારે તારા કર્મની જ દુહાઈઓ આપવી હોય તો...તે જોઈ લે, તારા કર્મો આણેલ આ છે પતિ સામે તૈયાર ખડે છે.” અત્યંત ક્રોધથી થરથર ધ્રુજતા પિતા રાજવી પ્રજા પાળે !
આ કહ્યું અને મયણાએ સ્વસ્થ નજરે ઊંચું જોયું. પળનો પણ વિલંબ ર્યા વિના આ { મયણા ઊભી થઈ ગઈ. નૂપુરના “રૂમઝુમ રુમઝુમ નિનાઠ સાથે શાંત અને સ્વસ્થ પગલાં પાડતી મયણ, પ્રસનચહેરે, હસતી આંખે, પેલા કેઢિયા પાસે પહોંચી ગઈ
કેઢિયા પતિની સાથે વિઢાય લઈ રહેલી મયણાસુરી રત્નજડિત પાલખીને બદલે ખચ્ચર પર બેઠી છે. “કુર્યાત્ સદા મંગલમના મંગલદવનિને બદલે ત્યારે વહાલસોયી છે જનેતાનું રૂઢના પડઘાઈ રહ્યું છે. નથી સેળશણગારની સજાવટ કે નથી સખીઓની મજાકમસ્તી. નથી ઢોલશરણાઈની સૂરાવલિઓ કે નથી મંડપમંચના ઠાઠમાઠ. નગરજનોના { આશીર્વાને સ્થાને “આ મૂખ છે, ઘમંડી છે, જિદ્દી છે, મિથ્યાવાદી છે. અવિનયી છે, આ કૃતદન છે,” બાવાં આવાં ક નિન્હાવાકની ઝડી વરસે છે. અને સૌથી મહત્ત્વની | વાત, રાજકુમારી તરીકે તે જેને પરણી રહી છે, જેની સાથે તેણે આખી જિગી વિતા5 વવાની છે તે કઈ સૌન્દર્યવાન રાજકુમાર નથી, અજાણ્યા પુરૂષ છે અને તે પણ કોઢિયો ૨ છે, સાતસો કેઢિયાઓની વચ્ચે જીવન ગુજારતે, ગામેગામ ભટકતો, રાજવિહોણે રાણે, { ઉંબરરાશે.
આ આખાય પ્રસંગ શ્રીપાળચરિત્રનું આરંભબિંદુ છે. અને એમાં મુખ્ય પાત્ર છે, 5 મયણાસુંદરી, મયણાસુંદરીની પ્રભુ આજ્ઞા પ્રીતિ ! આ પ્રસંગ પછી પગલે પગલે મયણાની
આજ્ઞાપ્રીતિ સતત ચમકતી રહે છે. પિતૃગૃહની વિદાય લઈને પતિ સાથે પિતાના આવાસમાં હસતી હસતી આવેલી મયણ પહેલી રાતે જ દુઃખી દુઃખી થઈ જાય છે.
હજુ કશું મોડું નથી થઈ ગયું, મયણ, પિતાએ ક્રોધાવેશમાં અને તે યૌવનાછે વેશમાં જિદ્રથી આ અણછાજતું પગલું એકવાર ભલે ભરી લીધું. પણ હવે બાજી સુધારી { લે. કેઈ રૂપાપન રાજકુમાર પાસે પહોંચી જા અને તારા રૂપનિર્માણને સાર્થક કર.
મારા સંગથી તે તારૂં શરીર અ૫સમયમાં જ કેદ્રગ્રસ્ત થઈ જશે. દુઃખ સિવાય મારી { પાસે તને આપી શકાય એવું કશું નથી, કશું જ નથી.'