Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- માર્ગને સમજે – (આજે જે ગુમરાહ કરનારી વિચારધારાશે–ચોકકસ વર્ગ–વ્યક્તિ તરફથી પિતાના અંગત અભિપ્રાયરૂપે હોવા છતાં ય વડિલોના નામે પ્રચારાઈ રહી છે. ત્યારે દ્વિધભરી પરિસ્થિતિમાં સ્વર્ગસ્થ પૂ. પરમતારક ગુરુદેવેશ શ્રીજી મુનિ અવસ્થામાં પણ શું સ્પષ્ટ માન્યતા ધરાવતા હતા તે નીચેના પ્રશ્નોત્તર પરથી સ્પષ્ટ થાય છે. તે શ્રી વીરશાસનના સાભાર સાથે પ્રસ્તુત પ્રશ્નોત્તર જોઈએ.
– સંપા.) પ્રકન-ર પરદેશી અગર સ્વદેશી મીલમાં જે કપડાં તૈયાર થાય છે તેમાં ચરબી જ વપરાય છે અને હાથથી કંતાએલ, વણાએલ શુદ્ધ ખાદી જેમાં ધાન્યની ખેળ ચઢાવવામાં | આવે છે, આ સ્પષ્ટ વાત છે. તે આ જાતના કપડામાં ક્યા કપડાં પા૫ વ મરનાં અને તે ચારિત્રનું રક્ષણ કરી શકે તેવા ગણવા ?
ઉત્તર-ર પ્રથમ તે તમારો આ પ્રશ્ન સત્યના સમર્થનની સાથે સંબંધ જ નથી ? ધરાવતે. વળી સંયમના નિર્વાહ અથ પૂજ્ય મુનિવરે જે જે વસ્તુનું ગ્રહણ કરે
છે તે તે વસ્તુના અંગે થયેલા આરંભ-સમારંભના ભાગીદાર કોઇપણ જેન ! છે શાસ્ત્રના આધારે પૂજ્ય મુનિવરો થઈ શકે છે? કે જેથી તમારે આ પ્રશ્નના પ્રશ્નના ! ૧ રૂપમાં સ્વીકારી શકાય. તમારા પ્રશ્નની રૂએ તમારે તે માનવું પડશે કે એક બગીજ ચામાં રહેનાર સાધુના સંયમ કરતાં જંગલમાં એક વૃક્ષની નીચે રહેનાર એક સાધુનું ર અને એક સારા સદગૃહસ્થના આલીશાન મકાનમાં ઉતરનાર સાધુના સંયમ કરતાં એક ૧ ગરીબની ઝુંપડીમાં ઉતરનાર સાધુનું સંયમ ઘણું જ ઊંચા પ્રકારનું છે. તેમજ એક છે
નાના કુટુંબના ઘરમાંથી ભિક્ષા લાવનાર સાધુના સંયમ કરતાં એક બહોળા કુટુંબના ઘરમાંથી ભિક્ષા લાવનાર સાધુનું સંયમ ઘણું જ નીચા પ્રકારનું છે એમ પણ તમારે છે ? સ્વીકારવું પડશે ! કારણ કે જ્યારે બગીચે આરંભજન્ય છે ત્યારે જંગલમાં આવેલા 8 વૃક્ષ માટે આરંભનો સંભવ નથી. અને સદ્દગૃહસ્થનું આલીશાન મકાન બવામાં જે છે જે આરંભ–સમારંભ થાય તે આરંભ સમારંભ એક ગરીબની ઝુંપડી બનવા માં નથી થતું. તેમ જ એક નાના કુટુંબના રસેડા કરતાં બહોળા કુટુંબના રસોડામાં અધિક 1 આરંભ હોય એ સ્વાભાવિક જ છે. પરંતુ વસ્તુસ્થિતિ આવી નથી. જે વસ્તુસ્થિતિ આવી જ હોત તે શાસ્ત્રોમાં જ્યાં જ્યાં રાજપિંડ લેવાનો નિષેધ કર્યો છે ત્યાં ત્યાં તે આરંભ-સમારંભને જ આગળ કર્યો હોત. પરંતુ તેમ થયું નથી માટે તમાશ ૧ આ પ્રશ્ન જ સ્થાન સ્થિત નથી એમ હું માનું છું. વીર શાસન વર્ષ–૧
–સુ. રામવિજયજી | અંક-૩૨, પૃ. ૭/૮, પ્રશ્નોનું સ્પષ્ટીકરણ) સુચના : સતત વરસાદથી વીજ પુરવઠો ખોરવાઈ જતા આ ૪૩+૪૪ સંયુકત અંક
કરેલ છે તેથી મુખપૃષ્ઠ ઉપર ૪૩+૪૪ સમજવું.)