Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
[૧] તમારે મોક્ષમાં જવું છે ?
–પૂ મુનિરાજ શ્રી મોક્ષરતિવિજયજી મ.
મારે મોક્ષમાં જ જવું છે અને તે પણ અબીહાલ, અત્યારે ને અત્યારે જવું છે.' { આવે જ કો'ક પુકાર શાલિભદ્રના અંતરમાંથી પ્રગટો હશે. નહીતર દિવ્ય વસ્ત્રાલંકારે છે
અને દિવ્ય ભોજનસામગ્રીના અતિદુર્લભ ભેગોપભેગને ભરજુવાનીમાં એ શી રીતે તરછેડી શકે ' બત્રીસ બત્રીસ રૂ૫–રમણીઓને સુંવાળા સંગાથ એકદમ એ શી રીતે છોડી
શકે? ફૂલની શય્યા પણ જેને ખૂચે એવી પિતાની કમલકમલ કાયાને એ ધગધગતી છે ( શૈક્ષશિલા પર મજેથી શી રીતે સુવડાવી શકે ?
ચોકકસ, જલદીથી જલદી મોક્ષને પામવાની અધીરતા જન્મ પછી આ બધું સાવ સહજ બની જાય છે. પરંતુ સવાલાખને સવાલ છે તાલાવેલીને ! પછી તે મુક્તિદાયક છે સામગ્રીએ, સત્ત્વશીલતા સમેત, તેની પાસે સ્વયંવરા બનીને આવે છે. મોક્ષમાં તાત્કાલિક પહોંચી જવાની ઝંખના જેના જેના અંતરમાં જાગી ઊઠે છે, એને સ્વર્ગીયસૌન્દર્યભરી છે
આઠ આઠ સુશીલ સુંદરીઓ, નવ્વાણું કરોડ નગઢ સેનૈયા, મગધનું સુવિશાલ સિંહાસન છે છે કે છ ખંડના અખંડ સામ્રાજ્યના સ્વામીપણાને સૂચવતો શિરતાજઃ કઈ કરતાં કંઈ જ છે નથી આક૭ શકતું, નથી આંજી શતું, નથી લેભાવી શકતું કે નથી લલચાવી શકતું. }
હા, એ મેક્ષાભિલાષામાં તારતમ્ય, એટલે કે એાછાધુતાપણું જરૂર રહેવાનું. છે પણ એની હાજરીની નોંધ લેતું સબળું કે નબળું કોઈ પરિબળ અનુભવમાં તો આવવું છે જેઈએને? તે ચાલે, ડુંક તે વિશે વિચારીએ.
- ઝવતેજીવ વગરવાંકે ચામડી ઉતારી રહેલા કુર રાજસેવકોને, “ભાઈ! ચામડી છે ઉતારતાં તમને તકલીફ તે નથી પડતીને?” એમ કહેનારા મહામુનિ અંધક જેવી ઝળ૬ હળતી માભિલાષા તે આપણી પાસે નથી. પરંતુ, શરીર પર બેસતા મરછરોને, છે કમમાં કમ કાસગ-શામાં તે, એકાઢ બે છાંટા (ટીપાં નહિ) લોહી પીતાં આપણે ન રેકીએ નહિ એવી ઝાંખીપાંખી મેક્ષાભિલાષા તે આપણી પાસે છે જ ને?
૦ તાજે લોન્ચ કરેલા મસ્તકમાં સળગતા અંગારા ભરનારા સોમિલ સસરાને મહોપકારી માનનારા મુનિરાજ ગજસુકુમાર જેવીષ્ટપુષ્ટ મુક્તિકામના તે આપણી પાસે નથી. પરંતુ, ગરમીને દૂર કરવા જથ્થાબંધ પાણીથી વારંવાર સ્નાન કે પંખો કે એર8 કન્ડીશનર કે એરકુલર જેવા પાપી ઉપાયોથી આપણને દૂર જ રાખે એવી દૂબળી-પાતળી છે મુક્તિકામના તો આપણી પાસે છે જ ને ?