Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ વર્ષ : ૯ : અંક : ૨૪ : તા. ૧૧-૨-૯૭ :
: ૫૪૩
A કુમારને જિન મુતિ ભેટ મોકલ્યાની વાત આવે છે. શ્રીઢશકાલિક સૂત્રના રચયિતા ચીઠ છેપૂર્વધર શ્રી ગયયંભવસૂરિ મહારાજાના વૃત્તાંતમાં પણ જિનમૂર્તિની વાત આવે છે. શ્રી ! K ભંગવવી સૂત્રમાં જિનપ્રતિમાના નિમિતે ઉઢાયન રાજાનું ચણ્ડપ્રદ્યોત સાથે જે યુદ્ધ થયેલું આ તેને વૃત્તાંત આવે છે. આ જ આગમમાં શ્રી ઋષભદેવ ભગવાનનું જ્યાં નિર્વાણ થયું,
ત્યાં અષ્ટાપદ પર્વત ઉપર ભરતરાજા દ્વારા ભગવાનનું મંઢિર બનાવવાની વાત પણ ? આ લખાઈ છે. એ તીર્થની યાત્રા લક્વિનિધાન શ્રી ગૌતમસ્વામીએ કરેલ તથા ૧૫૦૦ તાપ૪ સેને ખીરથી પારણું કરાવ્યા પણ ઉલ્લેખ થયો છે. આમ અનેક આગમોની સાક્ષી
મૂર્તિપૂજાને સિદ્ધ કરે છે, તેમ પ્રત્યક્ષ પ્રમાણથી પણ એ સિદ્ધ થઈ શકે તેમ છે. છે સમેતશિખર, શત્રુજ્યતીર્થ, પાવાપુરી, ગિરનાર, આબુજી, રાણકપુર આદિ અનેક પ્રાચીન છે અને ભવ્ય તીર્થો આ આગમિક તથ્યના સાક્ષીભૂત છે.
સ્થાનકવાસી સંપ્રઢાયમાં દીક્ષા લીધેલા એવા કેટલાક સમર્થ સાધુ ભગવંતે એ છે છે શાસ્ત્રાભ્યાસ દ્વારા જ્યારે જાણ્યું કે, પિતાને પંથ ઉન્માર્ગ પામી છે, અનાગમિઠ છે, છે ત્યારે સત્ય પ્રેમી અને ભવભીરૂ એવા તેઓએ એ મિથ્યા-પંથને ત્યાગ કરવામાં વિચાર સરખો કર્યો નથી અને સત્યમાર્ગે ચાલ્યા આવ્યા છે. જગદગુરૂ પૂ. આ. શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાના કાળમાં થયેલ શ્રી મેઘઋષિજીએ ૩૦ સાધુઓને લઈ કુપંથનો ત્યાગ કરી પૂ. આ. શ્રી હીરસૂરીશ્વરજી મ. પાસે સંવેગી દીક્ષા અંગીકાર કરેલ. પૂ. બુટેરાયજી મહારાજે પા! અસત્યમય એવા સ્થાનક પંથનો ત્યાગ કરેલો. આ વર્ષે જ જેમની ૧૦૦મી છે સ્વર્ગારેહણ તિથિ ઉજવાઇ, તેવા પૂ. આ. શ્રી આત્મારામજી મહારાજા ૧૭ શિષ્યની સાથે સત્ય માર્ગે ચાલ્યા આવ્યા. આજે આપણે ઇચ્છીએ કે, આ લેખને વાંચી મધ્યસ્થ 8 છે સત્યના પ્રેમી બને, તટસ્થતાપૂર્વક આ વાત વિચારે અને પક્ષને મેહ છોડી આત્મકલ્યાણુકર માર્ગને સ્વીકારે. સ્થાનકવાસી સાધુઓ સમાધિમંદિર, પગલા, સ્મારકાઠિ હ બનાવી રહ્યાં છે, ત્યાં જાપધ્યાન કરી–કરાવી રહ્યાં છે. ક્યાંક તે વળી ધૂપ પણ કરાય 8 છે, તે પછી જિનમૂતિ–જિનપૂજાને વિરોધ કરવાની હવે જરૂર નથી. એ સમય પાકી
ગયો છે કે, તેઓ જિનમુતિ-જિનપૂજાના માર્ગને સ્વીકારે. દુર્લભ એવો મનુષ્યભવ મળ્યો જ છે. આર્યદેશ-આર્યકુલ તે મળયું જ છે, સાથે જૈન ધર્મની પણ પ્રાપ્તિ થઈ ચૂકી છે. અલ્પકાલીન આ જન્મમાં આત્મકલ્યાણ કરી લેવું અને ભયંકર એવી દુર્ગતિથી પોતાને બચાવવો હોય, તો ગંભીરપણે આ બધી વાત વિચારવી જ રહી. જડ માન્યતાઓ તજી નિખાલસ વાની સત્ય માર્ગે ચાલી આવ્યા સિવાય છૂટકો નથી. સહુ કોઈ જિનાજ્ઞાને સમજે, છે તેને અનુસરવા પ્રયત્ન કરે ને જલદીમાં જલદી મુકિત પઢ પામે, એજ ભાવના-સંકલિત