Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૯ : અંક ૭-૮ : તા. ૧-૧૦-૯૬:
બનીને, ભૂમિ તરફ નજર રાખી, પગ નીચે કઈ પણ કીડી વગેરે જીવ-જંતુ મરી જ જાય એ રીતે, પિતાની ડાબી બાજુથી જમણી તરફ શ્રી જિનાલયમાં ત્રણવાર પ્રદક્ષિણા આપવી. અને દિ કાળથી સંસારમાં ચાલી રહેલા ભ્રમણને નિવારવા અને એ માટે સાધનભૂત જ્ઞાન, કશન અને ચારિત્રને પ્રાપ્ત કરવા આ રીતે પ્રદક્ષિણા આપી દેરાસર સંબંધી કોઈ પણ કાર્ય હોય તે તે કરીને પૂજા માટેની આવશ્યક સામગ્રી તૈયાર કરવી, ખરી રીતે તે પુલ માટેની સામગ્રી તૈયાર કરવાનું કાર્ય સોએ પિતપતાના ઘરે જ કરવું જોઈએ.
નાનાદિ કરી; પિતાની સ્થિતિને અનુરૂપ શુદ્ધ નિર્મળ અને અખંડ (ફાટયા વિનાના) વોને ધારણ કરી, શ્રી વીતરાગદેવની તારક આજ્ઞાને શિરે વહેવાના, પ્રતીક રૂપે કપાળના મધ્યભાગમાં તિલક કરી આવશ્યક (જરૂરી) પૂજા સામગ્રી સાથે મન વચન કાયાની એકાગ્રતાપૂર્વક શ્રી જિનાલયે જવું જોઈએ. પૂનદિ સામગ્રી તૈયાર કરી અંગપૂજા કરવા માટે ગભારામાં પેસતા પૂર્વે ગભારાના દ્વારે જઈને હાથ જોડી મસ્તક નમાવી ખૂબ જ વિનમ્રભાવે પરમાત્માની હતુતિ કરીને બીજીવાર નિસીહી નિસહી નિસહી– (સરસંબંધી બધાં કાર્યને ત્યાગ થાઓ.) આ પ્રમાણે બલી ગભારામાં પ્રવેશ કરે.
અહીં યાદ રાખવું જોઈએ કે સામાન્યપણે ઉત્સમાગે સવારે સૂર્યોદય બાદ વાસક્ષેપ પૂજા (સામાયિક–પ્રતિક્રમણના કપડાથી) કરાય છે. મધ્યાહને નાનાદિપૂર્વક શુદ્ધ નિર્મળ સફેદ અથવા લાલ વગેરે ઉચિતવર્ણવાળાં સુંદર વને ધારણ કરી અષ્ટપ્રકારી પૂજા કરાય છે, અને સાંજે સૂર્યાસ્ત સમયે પ્રતિક્રમણ કરતાં પૂર્વે પ્રતિક્રમણદિનાં વો પહેરી ધૂપ-દીપ પૂજા કરાય છે. આ પ્રમાણે ત્રિકાળ-પૂજને સ્વતંત્રવિધિ યાદ . રાખીને દેવાધિદેવની મમતારક આજ્ઞા મુજબ તે તે સમયે જ આસક્રેએ વિવિધ પૂજ કરવી જોઈએ. સંસારનાં દરેક કાર્યો તેના નિયત કરેલા સમયે કરવા આગ્રહ રાખનારા છો ધર્માનુષ્ઠાનના નિયત સમયની અવગણના કરેએ ખૂબ જ અનુચિત છે. પરંતુ કામ પરવશ છે જયારે કોઈપણ રીતે ત્રિકાળ-પૂજા કરવા માટે સમર્થ બનતા નથી, ત્યારે વહેલામાં વહેલી તકે વિધિપૂર્વક પરષાત્માની ત્રિકાળ-પૂબ કરવાની ભાવનાવાળા ધર્માથી જનેને, અપવાદમાગે સૂર્યોદય બાદ વાસક્ષેપ પૂજાની સાથે જલાદિ અષ્ટપ્રકારી પૂજા કરવાની રજા અપાય છે–એ અપેક્ષાએ અહીં પૂજાની વિધિ જણાવચે છે.
ગભારામાં પ્રવેશ કરી ખેસથી આઠ પડને મુખકોશ બાંધવાનું છે. આપણા શ્વાસેવાસની દુર્ગંધથી પરમાત્માની આશાતના ન થાય એ માટે બંધાતા સુખકેશથી મોટું અને નાક બરાબર બંધ થાય—એની કાળજી રાખવી જોઈએ. પુરૂષોએ પૂજા માટે ધોતિયું અને બેસ આ બે વસ્ત્રને છોડીને અન્ય કેઈપણ રૂમાલ કે સીવેલાં અન્તર્વસ