Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે
પ્રેરણામૃત સંચય (દુ
– હૈયાની આંખ ઉઘાડે :ભગવાને કહેલ ધમ ક્ષે જવા માટે જ કરવાનો છે, સંસારના કેઈપણ હેતુથી કરવાનો જ નથી. અમારે પણ જે મોક્ષે ન જવું હોય તો અમે પણ આ શાસનને ભારભૂત છીએ, શાસનને બેવફા છીએ. અમને ય ખાન-પાન, માનસન્માદિમાં જ મજા આવતી હોય તે અમારા જેવા ખરાબ કેઇ નથી. જે કઈ આવે તેને સુખી કવાનું અમને ય મન હોય તે અમારે ય સંસાર વધવાને છે. ભગવાને ફરમાવ્યું છે કે, મારા સંઘમાં-શાસનમાં તે જ આવે જેને મોક્ષ જ જેતે હેય. જે કેઈ કહે અમારે આનંદ કરતા કરતા મોક્ષે જવું છે તો તે મોક્ષની મશ્કરી કરનારા છે. મોક્ષની મશ્કરી તે જ મહાપાપ છે.
આપણે ત્યાં ભગવાનના મહત્સવે પણ મોક્ષે જવા જ કરવાના છે. તમે બધા આવા પ્રસંગોમાં દેખાદેડી કેમ કરે છે? વ્યવહાર સાચવવા નહિ ને? અમને કે ગામના લોકોને રાજી કરવા તે નહિ ને? આમંત્રણ પત્રિકો પણ એટલા માટે જ કાઢવાની કે- અમે બધા મોક્ષમાર્ગની આરાધના કરીએ છીએ તે બધા આવે અને મેક્ષમાર્ગની આરાધના કરે.
સ ઘની આબાદીમાં જ ધમની આબાદી સંઘ એટલે મોક્ષની ઇચ્છા માટે જ તરફડતે, તે માટે સાધુ જ થવા ઇચ્છો તે સંઘ. તે સિવાયનો સંઘ એટલે ધર્મની બરબાદી.
આજે તે સંઘ નથી માટે ધનાશ પામી રહ્યો છે, ધર્મના સિદ્ધાંતની કોઈને પડી નથી. તેવાને અને ધમને લાગેવળગે છે શું? ચતુર્વિધ શ્રી સંઘની આબાદી અમને તે ઘણી ગમે. તે સંઘ એટલે મેક્ષને મુસાફર. તેને સંસારમાં કમ ગે રહેવું પડે માટે રહે. દેવકને ય જેલ માને અને સાધુ થવા સિવાય બીજી કઈ જ ઈચ્છા નથી.
હવે અમને ઘર-બાર, સ્નેહી-સંબંધી રખઠાવનાર લાગે છે. ખાવું-પીવું, પહે. ૨વું-ઓઢવું, મેજમલ કરવી તે રૂ૫ સંસાર ગમતું નથી; દાન-શીલ-તપ જ ગમે છે. આ બાલવામાં તમને વાંધે છે? શાસનને રાગી શું કહે ? મને ધન નથી ગમતું પણ દાન ગમે છે. ધન ગમે તે માટે પાય છે, તે પાપોદયના નાશ માટે દાન દઉં છું;