________________
૮૧૪ ]
દર્શન અને ચિંતન થાય છે' એવો ભય ઉપજાવી છોકરાને અમુક રસ્તે જતાં રેકીએ ને કાંઈક લાભ થાય તે એનું કારણ ખવીસ નહિ પણ તજજન્ય ભય છે; કાંઈ નુકસાન થાય તે પણ એનું કારણ ખવીસ નહિ, પણ ભય છે. આસક્તિ ટાળવા અનિયત્વની અને અશુચિત્વની ભાવના સેવીએ તે એને અર્થ એ નહિ કે અનિયત્વ અને અશુચિત્વ એ અનાસક્તિનું કારણ છે. અનિત્યત્વ અને અશુચિત્વ હોવા છતાં, અને એની જાણ હોવા છતાં, ઘણીવાર આસક્તિ થાય છે. તેથી પ્રસ્તુત લેખ કાર્યકારણુભાવની બ્રાન્ત કલ્પના નિવારી તેનું સાચું પાસું રજૂ કરે છે.
પ્રકૃતિ ત્રિલોકિમંડપમાં ત્રિગુણાત્મક રાસ રમ્યા જ કરે છે. સમુદ્ર–પર્વત, સૂર્ય-ચંદ્ર, ગ્રહ-નક્ષત્રોના અલંકાર ધારણ કરી, વિધવિધ લતા-કુંજ, વનરાજિ અને કુસુમકલિકાની વેશભૂષાથી વિભૂષિત થઈ એ ની કાળપટ ઉપર નિયમિતપણે ફરતા ઋતુચક્ર દ્વારા સૌમ્ય અને સ્ટ, કોમળ અને પ્રચંડ નૃત્ય કરતી જ રહે છે. પક્ષીઓના કલરવ અને પૂજન દ્વારા, પશુઓના આરાવ અને વિરાવધારા તેમ જ મનુષ્યોના આલાપ–સંલાપ અને વિલાપ દ્વારા એ ટી રસવાહી સંગીત રેલાવતી જ રહે છે. છતાં એની લીલામાં સદા વિલસતા લાવણ્યનું પાન કરે એવી કળા-ઈન્દ્રિય ધરાવનાર તે વિરલા જ હોય છે. એ લીલાને તટસ્થપણે પખનાર, પરમપુરુષની શિવમૂર્તિનું સંવેદન કરનાર તે એથીયે બહુ ઓછા હોય છે. પણ વિરલ ક્ષણમાં થયેલ સૌન્દર્યની ઝાંખી અને એ મંગળમૂર્તિનું સંવેદન જ્યારે આવી કોઈ વ્યક્તિ વૈખરી વાણીમાં વ્યક્ત કરે છે ત્યારે એ સત્ય, શિવ અને સુંદર બની રહે છે. પ્રસ્તુત લેખસંગ્રહના નાના કલેવરમાં એવી જ કઈ વાણુને પરિચય-ભવ્ય સંવેદનનું દર્શન–મારી પેઠે વાચકોને પણ અભ્યાધિક અંશે થશે જ.
* પરમાનંદ કુંવરજી કાપડિયાના પુસ્તક “સત્યં શિવ સુદરનું પુરોવચન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org