________________
સ્વ. કૈલાંબીજનાં પ્રેરણાદાયી સ્મરણ
[૧૦] અધ્યાપક કૌશાંબીજીનું નામ ન જાણતો હોય એવો વિદ્વાન અને વિચારક ભાગ્યે જ હશે. જો કે એમણે પિતાનાં કેટલાંક જીવન–સ્મરણે આપવીતીમાં આલેખ્યાં છે, પણ તે સ્મરણે આખા જીવનને લગતાં નથી. તેમણે અમુક સમય સુધીના જ પિતાના ખાસ ખાસ કેટલાક જીવન-પ્રસંગે આપવીતીમાં આલેખ્યા છે. તેમ છતાં જેણે એ ટૂંકી આપવીતી વાંચી હશે તેના ઉપર કૌશાંબીઝની બુદ્ધિ, પુરુષાર્થ અને ચારિત્ર્યની ઊંડી છાપ પડ્યા વિના રહી જ નહિ હોય. હું પિતે તે કોઈ પણ જિજ્ઞાસુ ભાઈ કે બહેનને વાંચવાલાયક પુસ્તકે સૂચવવાં હોય ત્યારે તેમાં “આપવીતી”ની પસંદગી પ્રથમ કરું છું. “શું કરવું? રસ્તે કોઈ સૂઝતો નથી, સહાયક નથી.” એવા એવા માયકાંગલા વિચાર સેવનારાઓની આજે કમી નથી. તેવા માટે મારી દૃષ્ટિએ કૌશાંબીજની આપવીતી” એ પ્રેરણાદાયી બાઈબલ બને તેવી છે. આમ હોવા છતાં જેણે કૌશાંબીજને ઠીક ઠીક પ્રત્યક્ષ પરિચય સા હશે અને જે દૃષ્ટિસંપન્ન હશે તે જ કૌશાંબીજીને ખરી રીતે ઓળખી શક્યો હશે એમ મને લાગે છે. તેમની સાથે મારે સાક્ષાત પરિચય લાંબા વખત લગી રહ્યો હતો અને છેલ્લે હમણું કાશીમાં પણ અમે બને સાવ નિકટ હતા. તેથી હું તેમનાં કેટલાંક સ્મરણો આલેખું તે તે અનુભવમૂલક છે એમ સમજી વાંચનાર વાંચે.
સૌથી પહેલાં હું કૌશાંબીજીને પૂનામાં ૧૯૧૭માં તેમને મકાને મળે. તે વખતે તેઓ ફર્ગ્યુસૈન કૅલેજમાં પાલીના અધ્યાપક હતા. મેં તેમનું બુદ્ધધર્મ આણિ સંધ” એ પુસ્તક વાંચેલું એટલે તેમના પ્રત્યે મારે અનન્ય આદર તે પ્રથમથી જ ઉત્પન્ન થયેલે; પણ હું પ્રત્યક્ષ મળ્યો ત્યારથી તે તેમના પ્રત્યે મારી જુદી જ દૃષ્ટિ બધાઈ હું આ અગાઉ કેટલાક વખત થયાં બૌદ્ધ પાલી વાડ્મય ગુરુમુખથી શીખવા ઈચ્છતા હતા. જૈન કર્મશાસ્ત્ર અને બીજા એવા વિષયે વિષે વિચારતાં તેમ જ લખતાં મને એમ થયેલું કે બૌદ્ધ વાડ્મયના પૂરા અને યથાર્થ અભ્યાસ વિના મારું અભીષ્ટ કામ અધૂરું જ રહેવાનું છે. હું એગ્ય અધ્યાપકની શોધમાં હતો, અને કૌશાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org