________________
૧૪૬].
દર્શન અને ચિંતન નથી. માત્ર મળ્યા જ છીએ એટલું જ નહિ, પણ સાથે કલાકે લગી અને કેટલીક વાર તો દિવસ લગી રહ્યા છીએ. સાથે પ્રવાસ પણ કર્યો છે. આ બધા પ્રસંગે મેં એ જોયું કે તેઓ રાજકારણ, કોંગ્રેસ કે ગાંધીજી વગેરેની કોઈપણ ચર્ચા ઉપરથી છેવટે કોન્ફરન્સની પ્રવૃતિને લગતી કઈ ને કઈ બાબત ઉપર આવે, જાણે કે એમના મનમાં એક પ્રશ્ન ઘોળાતે ન હોય તે રીતે વાત કરે. મને લાગેલું કે એમનો પ્રશ્ન એ છે કે કૉન્ફરન્સ શિક્ષણ, સાહિત્ય અને સામાજિક સુધારાની બાબતમાં શું શું કરી શકે અને તે કામ કેવી રીતે પાર પાડવું?
એક તો જેનસમાજ વ્યાપારપ્રધાન, આર્થિક દૃષ્ટિએ તદ્દન સ્વાધીન હોય એવા લેકે ગણ્યાગાંઠ્યા, મધ્યમવર્ગીય બધા જેનોને કૉન્ફરન્સમાં સમ્મિલિત કરવાની દૃષ્ટિ, સાધુઓના અંદરોઅંદરના પક્ષભેદ અને તેને લીધે શ્રાવકવર્ગમાં પડતી કૂટના કૉન્ફરન્સ ઉપર પડતા પ્રત્યાઘાત; આ બધું કોન્ફરન્સની દૃષ્ટિ, શક્તિ અને પ્રવૃતિને મર્યાદિત કરનારું પહેલેથી જ હતું અને હજીયે છે. એક બાજુથી બધી દિશામાં વિચારસ્વાતંત્ર્યને પવન ફૂંકાતે હોય, અનેક ઉપયોગી પ્રવૃતિઓ દેશમાં વિકસતી જતી હોય અને બીજી બાજુથી કોન્ફરન્સ એ સાથે તાલ મેળવી ન શકતી હોય તે સાચા ધગશવાળા કાયકર્તાને મૂંઝવણ થાય. એવી મૂંઝવણ મેં શ્રી મોહનભાઈમાં અનેકવાર નિખાલસપણે પ્રગટ થતી જોઈ છે.
અત્રે એક બાબત ધ્યાનમાં રાખવી ઘટે કે મોહનભાઈ વકીલ હતા, પણ ” તેમની વકીલાત એવી ન હતી કે તેમને તેમની ઈચ્છા પ્રમાણે કામ કરવાનો અવકાશ આપે. આવક બહુ મર્યાદિત, કૌટુંબિક આદિ પ્રશ્નો ઘણા, છતાં એમનું ખમીર આશાવાદી, પ્રવૃત્તિશીલ અને કર્મઠ હતું. વળી એમની તબિયત પણ એટલી જ સારી. થાય તે જાણે લાગે જ નહીં. કોઈકવાર જમ્યા પછી પણ જમવાનો પ્રસંગ આવે તે તેઓ પાછી ન પડે. અને એમની નિષ્ઠા પણ એટલી પાકી. કેઈ કામ લીધું એટલે એ પૂરું કર્યું જ છૂટકે. એમાં પછી ઊંધ કે આરામ જોવાનો જ નહીં. તેથી જ તેઓ કોન્ફરન્સની બધી પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ ભાગ લેતા અને પિતે રુચિ તેમ જ શક્તિ પ્રમાણે અમુક કામ હાથમાં લઈ તેને પૂરા ખંતથી અને મહેનતથી પાર પાડતા. જો કેઈ બીજા કાર્યકર્તા તેમને ભેટી જાય અને તેની પાસેથી કામ લેવાનું શક્ય હોય તો તેઓ તેને કોરન્સ સાથે સાંકળી એક યા બીજી રીતે તેની પાસેથી પણ કામ લેવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org