________________
મારે પંજાબને પ્રવાસ
[૨૧૫ ભાર્ગ સ્વીકાર્યો હતો. મહાવીર ક્ષત્રિય એટલે ક્રાન્તિકારી; જે કે એમાં બ્રાહ્મ
ત્વ પણ હતું. જ્યારે કર્મકાંડ યાત્તિક કર્મકાંડનાં જડ જાળાંઓએ માત્ર પશુ જ નહિ, પણ મનુષ્ય સુદ્ધાના ગળાં રસવા માંડ્યાં હતાં, જ્યારે સ્ત્રીઓની આધ્યાત્મિક ભૂખને સમાવવાને કાંઈ રાજમાર્ગ ન હતું, જ્યારે બ્રહ્માદૈતની ઘોષણાના આદેશમાં શ્રદ્ધો માત્ર જાતિને કારણે ઉચ્ચ ધાર્મિક જીવન અને શાસ્ત્રજ્ઞાન મેળવવાના અધિકારથી વંચિત હતા ત્યારે એક મગધના ક્ષત્રિયને પ્રેરણા થઈ અને પરંપરાગત આચારવિચારમાં સમયોપગી તો દાખલ કરવા ખાતર અને તતકાલીન કર્મકાંડ, હગી તથા શુષ્ક તપસ્યાના પંથમાં જીવન રેડવા ખાતર તેણે લગભગ ૧૩ વર્ષ તપ કર્યું. મહાવીર એટલે મહાન તપસ્વી. એનું તપ એ માત્ર શુષ્ક લંઘન કે શુષ્ક હઠયોગ ન હતા, પણ તેઓના તપમાં સતત ધ્યાન અને સતત ચિંતનનું બળ હતું તેથી જ તેઓએ “વર્ધમાન” એ મૂળ નામના સ્થાનમાં “મહાનવીર એવું સાર્થક નામ પ્રાપ્ત કર્યું. તપને અંતે મુખ્ય બે તનું નવનીત જગત સમક્ષ ધર્યું". આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાંત.
વિદ્યા અને આચરણથી સંપન્ન હોય તે બ્રાહ્મણ. એ બ્રાહ્મણદાનિકોના કથનને માનીએ તો સાધક અવસ્થામાં ઉત્કટ પરાક્રમ દાખવનાર ક્ષત્રિય મહાવીર હવે આચાર અને વિદ્યાના પરાકાષ્ઠા પ્રાપ્ત બે તને મેળવી બ્રાહ્મણ બન્યા, અને બ્રાહ્મણનું પદ લઈ અદ્વૈતમાર્ગને વ્યવહારુ બનાવ્યું. તેમણે જાતિ અગર લિંગને કારણે કોઈને આધ્યાત્મિક અધિકાર ઓછો ન માન્યો. હજારો સ્ત્રીઓ અને કેટલાક જાતિશોએ પણ ગ્યતાને બળે મહાવીરનાં બે ઉક્ત તવોનું પાન કર્યું.
પણ એ અહિંસાને વારસો ભોગવનાર આપણે આજે તીર્થ કે બીજા મતભેદના કારણે ધર્મને નામે લોકકલ્યાણ સાધી શકાય એવી ત્રણે વસ્તુઓસમય, બુદ્ધિ, સંપત્તિને નાશ કરી રહ્યા છીએ.
આદર્શ પુરુષોના જેવા થવાને બદલે મનુષ્યો આદર્શ પુરુષોને જ બહુધા પિતાની પરિસ્થિતિ પ્રમાણે ઘડી કાઢે છે. એ માનવનિર્બળતાથી જનસમાજ પણ મુક્ત નથી અને તેથી દરેક ફિરકાવાળા મહાવીરને પિતાના બીબામાં ગોઠવવાનો ઉપહાસાસ્પદ પ્રયત્ન કરી રહ્યા છીએ.
“બીજાને અહિંસાને પાઠ શીખવવાની અનેક હિલચાલ કરનાર જે અંદરોઅંદર હિંસા કરે તો તેના જેવા ઢોંગી બીજા કોણ હોઈ શકે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org