________________
સુવર્ણચન્દ્રક સમારંભ પ્રસંગે
[ ૨૮૩ ક્ષણ નિભાવી લેવા જેવી નથી. મને આવા શુદ્ર મતભેદની મહા તકરારનું મૂળ કારણ વિચારતાં એ લાગ્યું છે કે ધર્મક્ષેત્રને કુરુક્ષેત્ર બનાવનાર પંડિત અને ત્યાગીઓની સામે કઈ મહાન રચનાત્મક આદર્શ નથી, એટલે તેમની ફાજલ પડેલી શક્તિઓ વારસામાં મળેલ ખંડનશૈલીને આશ્રય લઈ બીજા સામે બાથ ભીડવાની અશક્તિને લીધે અંદરોઅંદર અફળાય છે અને સમાજને છિન્નભિન્ન કરી નાખે છે. આના નિવારણને ઉપાય એ જ છે કે તેવા વિદ્વાન ગણાતા પંડિતે અને ત્યાગી સાહિત્ય, સમાજ કે રાષ્ટ્રના કોઈ પણ નવપ્રદેશમાં પિતાને રચનાત્મક ફાળો આપે. જ્યારે તેઓ કાંઈ પણ નવસર્જન કરવા પ્રેરાયા હશે ત્યારે તેમને નકામા બોલવા, લખવા કે તકરાર કરવા જેટલી ફરસદ જ નહિ રહે. જો સમયસર કઈ નહિ ચેતે તે થોડા જ વખતમાં તેવા વર્ગને અને તે વર્ગના આશ્રયભૂત શાસ્ત્રનો કઈ સમજદાર ભાવ પણ નહિ પૂછે.
ઉપરની ચર્ચા સાંભળનાર એક પ્રશ્ન જરૂર કરી શકે કે સમાજને નવસર્જનને યોગ્ય નો ફાળો આપ્યાની સર્વમાન્ય કસોટી શી ?
મારે ઉત્તર એ છે કે શાસ્ત્ર, શિક્ષણ, સમાજ કે રાષ્ટ્ર વગેરે કાઈ પણ ક્ષેત્રમાં કરાયેલ સર્જકપ્રયત્નનું મૂલ્ય જે જૈનેતર સમાજમાં અંકાય અને જૈનેતર લેકે માટે પણ અનુકરણીય બને તે જરૂર સમજવું કે જેનું એ નવસર્જન સમાજને યુગાનુરૂપ ફાળો છે.
મેં પ્રારંભમાં જ કહ્યું છે કે આ ચંદ્રક-અર્પણ વૈયક્તિક નથી. જે એને પ્રેરક હેતુ શાસ્ત્ર ઉપાસના અને સત્યસંશોધનવૃત્તિ હોય તો તે ચંદ્રક પણ છેવટે તેને જ ફળે જ જોઈએ. હું અત્યારે વ્યક્તિગત રીતે સ્વીકારું તેય તે પચે તે એવા પ્રેરક હેતુને જ, તેથી આ ચંદ્રક હું જૈન સંસ્કૃતિસંશોધક મંડળને ભેટ આપું છું, કેમકે એ મંડળ પહેલેથી જ તેવા સત્યસંશોધન વૃત્તિના આધાર ઉપર રચાયું છે અને તે જ દિશામાં નિષ્કામપણે કામ કરી રહ્યું છે, જેને હું સાક્ષી છું. એ મંડળ કરતાં વધારે નિર્ભયપણે અને વધારે નિષ્ઠા સાથે કોઈ બીજી સંસ્થા જૈન સમાજમાં ક્યાંય કામ કરી રહી હોય તે તે હું નથી જાણતા. વળી ઉક્ત મંડળનો હું એક વિનમ્ર સભ્ય છું અને તેને સક્રિય કાર્યકર્તા પણ છું, તેથી જે નિષ્ઠાને લીધે આ ચંદ્રક અર્પવામાં આવે છે તે જ નિષ્ઠા સેવનાર જૈન મંડળને આ ચંદ્રક એની ઈચ્છા પ્રમાણે ઉપયોગ કરવા માટે સોંપી દઉં તે હું ધારું છું કે તમે બધા પ્રસન્ન થશે જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org