________________
૨૮૮]
દર્શન અને ચિંતન હું એટલું તે જાણું છું કે બીજા ગમે તેટલા પ્રમાદે અને શિથિલતા હેય, પણ જિજ્ઞાસા પિષવા અને યથાશક્તિ વિવિધ વિદ્યાઓનું પરિશીલન કરવામાં પ્રમાદને ભાગ ઓછામાં ઓછા છે. તેથી કહી શકાય કે, જીવનને પ્રેરક હેતુ જિજ્ઞાસાપૂર્તિ અને વિદ્યાસંપાદન રહ્યો છે. તેણે જ બધું કરાવ્યું છે. એને જ લીધે ધર્મ, સમાજ અને માનવતાનાં મૂલ્યાંકનમાં ફેર પડત. ગયો છે, અને જે પ્રથમ ઉપાદેય લાગતું તે સંકુચિત અને હેય પણ જણાતું. ગયું છે તેથી જ સંપ્રદાય, પંથ, જાતિ, શાસ્ત્ર આદિ અનેક વિષય પરત્વે
સ્વતંત્ર વિચાર કરવા પ્રેરાયો છું, અને કેટલીક ધારણાઓ પણ સ્થિર અને વિશદ થઈ છે. આ જ એક અલ્પાંશે પણ સંતોષને વિષય છે.
ટૂંકમાં, જો લખવાની વૃત્તિ ટાળી શકાય તેમ ન હોય તે, આ જ સૂત્રને ધ્યાનમાં રાખી, ઉપાગી હકીકતે લઈ શકાય. મેં તે ઘણું કરી ૧૯૨૦ આસપાસ સુધી જ કાંઈક ચિતરામણ કર્યું છે, પછીનું તે છે જ નહીં.
કાકાએ મને ઘણાં વર્ષોથી કંઈક લખવા આગ્રહ કર્યો છે. હમણું તેઓ આવેલ. ફરી માગણી કરી. કહે કે “હું બહુ હકીકતે નહીં પણ તમે તત્વચિંતક હોવાથી જીવનનું તારણ લખે એમ ઈચ્છું છું.” એમણે “ધર્મનુભવની જીવનયાત્રા” “સંસ્કૃતિ માં લખી છે. તે એમનો નમૂનો; પણ મેં તેમની સાથે ફરી એ વિશે ચર્ચા કરી દષ્ટિબિંદુ સ્પષ્ટ જાણું લેવા કહેલું. એ તે વખત આવે ત્યારે ખરે, એટલે સળંગ જીવન વાર્તા એ તે મુલતવી જ રહે છે. તમે પણ સંક્ષેપમાં પતાવવાનું સૂચવે છે એટલે મેં મારી હેદ્ગત મુખ્ય વાત કહી કે, છેવટે અત્યુક્તિ કે આડંબર ન આવે.
* કાકાસાહેબ કાલેલકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org