________________
-માર્ચ“વિદ્યાધ્યયન ,
[૨૭ આવેલા આલિશાન, પણ ચોમેરથી બંધિયાર મકાનમાં જનાનખાના જેવો વાસ અને ક્યાં નાનકડા પણ દશ દરવાજાવાળા ખુલ્લા મકાનમાં કરેલ પડાવ અને માઈલે લગી પહોળા પથરાયેલ ગંગાના પટ ઉપર વર્ષના પાણીથી ઊભરાતું તેમ જ એ મકાન સાથે અફળાતું પાણીનું પૂર ! દેખીતી રીતે સ્થાનની ચિંતા ટળી, પણ અંદરથી તે વેંચપરોણાને લીધે થેડીઘણું હમેશાં રહી. કાશીમાં કપરા અનુભવે
માસિક લગભગ સો રૂપિયામાંથી ઘણું નભાવવાનું હતું. છએક જણ જમનાર. મહેમાન અને મિત્રો હોય જ. અધ્યાપકને અને મારા વાચકેના પગારનો બેજે પણ ખાસ હતો. એ પેટે લગભગ પચાસ રૂપિયા દર માસે ખરચાતા, અને બાકીમાં બધું નભાવવાનું. આ સમય તિલકને દેશનિકાલ થયાન, અને બંગભંગની ગરમાગરમ હિલચાલને, તેમ જ વિપ્લવવાદીઓના ત્રાસ હતો તેથી છાપાને લેભ જતો કરવો શક્ય ન હતું. સાપ્તાહિક, માસિક અને દિનિક એવાં જે જે ગરમાગરમ હિંદી અને મરાઠી છાપાં હોય તેને બને મિત્રોને નાદ એટલે એ ખર્ચ પણ ખરે, છતાં બીજી બધી રીતે સાદગી અને જાતમહેનતથી વરતવાનું એટલે ગાડું ચાલે. . હું તે જૈન તરીકે જાણીતો થયેલ. બ્રાહ્મણ મિત્ર પણ મારી સાથે રહે અને તે પણ જૈનતીર્થના મકાનમાં એટલે સારા કોઈ પણ અધ્યાપક, જે હમેશાં વગર પૈસે બધાને ભણાવે તે તો અમે તેમને ઘેર જઈએ છતાં સમય ન આપે, અને સુખ્ય અધ્યાપક મેળવ્યા વિના સંતોષ પણ ન થાય. એવો કોઈ અધ્યાપક મળે ત્યારે જૈન હોવાને કારણે બીજી બધી બાબતમાં અગવડ વેઠીને પણ પૂરતું મૂલ્ય ચૂકવવું પડે. આ એક વિટંબના હતી, પણ સાથે જ મુક્ત મને અધ્યયનના વિષયે અને ગ્રંથ પસંદ કરવાની છૂટ હેવાથી પાઠશાળાના સગવડિયા પણ એકાંગી અધ્યયનથી મુક્તિ મળવાને લીધે એક રીતે અસાંપ્રદાયિક સંસ્કારને પાય નંખાય. અધ્યાપક ક્યારેક રિસાય, પણ તે તે એટલા માટે કે આ જેને હેઈ છેવટે કાંઈક વધારે ધરશે જ.
અમે પણ કાંઈક વધારે નૈવેધથી એમને રીઝવીએ અને વધારે -તાણ ભેગવીએ. અનુભવે નો રસ્તો સૂઝાડ્યો, પણ તે સહેલ ન હતા. શહેરમાં કોઈ દ્રવ્યાર્થી સુયોગ્ય અધ્યાપકોને શોધી બને જણે જુદા જુદા જવું ને ઘેર અધ્યાપકને બેલાવવા માટે ચૂકવવું પડતું મૂલ્ય કાંઈક હળવું કરવું અને સાથે જ એકાધિક અધ્યાપકને લાભ લેવો. આ પેજના પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org