________________
અભ્યાસદશાનાં કેટલાંક સ્મરણે
[૨૪૯ ભોજન અને ઉચ્છિષ્ટ નહોતું લાગ્યું, અને હજીયે નથી લાગતું. કારણ, ભૂખ્યાને એઠું શું ? પણ વ્યવસ્થિત અભ્યાસ માટે માર્ગ ન હતો. કેટલાક સંસ્કારી સાધુઓ આવે અને સંસ્કૃત શીખવાનું કહે કઈ સ્નેહી બ્રાહ્મણ સંસ્કૃતની અતિ ઉત્સાહથી પ્રશંસા કરે અને શીખવાનું કહે. કેઈ કાશીના પંડિતેની મહત્તા વધે, અને કોઈ કોઈ વાર એકાદ સુકંઠ સાધુ સંસ્કૃત પદ્યો ગાય. આ બધું ઉત્તરોત્તર મારા મનને ઘર છોડાવવાની અને બહાર ધકેલવાની તૈયારી જ કરાવતું. એ જિજ્ઞાસાના ઉત્કટ ઉન્માદમાં ઘણું વાર આકાશે ઊડ્યાનાં સ્વમો આવેલાં આજે પણ સ્પષ્ટ યાદ આવે છે. સાધન ન હતું, પણ જે મળ્યું તેને જિજ્ઞાસાએ સાધન બનાવ્યું.
એક વાર એક સાધુ રઘુવંશી લાવેલા. તેમણે જતી વખતે મને સાત દિવસ તે રાખવા કહ્યું. હું સંસ્કૃતમાં પુસ્તકે ક્યાં છે અને કેમ ભણવું જોઈએ એ જાણ જ ન હતો. જાણતો હતો એટલે કે જે સામે આવે તે ખાઈ જવું. એટલે એ મળેલા સાત દિવસોમાં રઘુવંશના દશ સર્ગો યાદ કરી દીધા. વાંચનાર જે હતા તે અક્ષરે સંસ્કૃત ન જાણતા. હું પણ નહોતે જ જાણતે. પરંતુ એ વખતની સ્મૃતિ અને ઉત્સાહ એટલી તૈયારી કરાવી. આ બધી ગડમથલમાં એક વૃદ્ધ સાધુ મળ્યા. તેમને મેં પ્રથમ જ સંસ્કૃતના વવદ્યાગુરુ બનાવ્યા. તેઓ સ્થાનકવાસી હતા. આંખે ન દેખતા, સંસ્કૃતના તે બહુ જ સાધારણ અભ્યાસી હતા; પણ જૈન આગમ જૂની ઢબે બહુ જ સારી રીતે જાણતા. મારે મન તેઓ તે વખતે વિશિષ્ટ વિદ્વાન હતા. તેમની પાસેથી સારસ્વત વ્યાકરણની પંચસંધિ અને ષ લિંગ હું શીખ્યો, ત્યારે એ ગામડામાં મારા બધા ઓળખીતાઓ અને મુનિ અને મનીષિ કહેવા લાગ્યા. ગામના બ્રાહ્મણે પણ મને એક વિદ્વાન સમજતા. જતા-આવતા નવાસવા સાધુસંત કે વિદ્વાન કઈ ગામમાં આવે ત્યારે મારા સ્નેહીઓ તેમની પાસે મને એક સારા વિદ્વાનરૂપે ઓળખાવતા. એનું તે સ્મરણ જ આજે મને આપણું અજ્ઞાનતા ઉપર આંસુ વરસાવવા પ્રેરે છે. ' એ વૃદ્ધ સાધુ લાંબે વખત ગામમાં ન રહ્યા, અને વળી મારી ભૂખ વધી. બીજાં ગામમાં ક્યાં ક્યાં સંસ્કૃત પાઠશાળા છે ? ત્યાં મારે શી રીતે જવું ? જાઉં તે સાથી કોણ? વાંચવાનું કામ કરે કોણ? બીજી બધી શારીરિક સંભાળ કેણ રાખે ? અને મમતાથી મને પરાધીન સ્થિતિમાં ટેકે કેણું
આપે ? અથવા ટૂંકમાં, મારી બધી મૂંઝવણનો નિકાલ લાવવા સહાનુભૂતિ કોણ દર્શાવે ? એ બધા પ્રશ્નો થતા જ હતા. માર્ગ જાતે જ કાઢવાનો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org