________________
મારા જીવનમાં ‘પ્રકાશનું સ્થાન
૨૫
હશે તો ભલે તેમ હા, પણ માત્ર ખત્રીશ આગમ તે ચેકડાઓમાં તે રચ્યાપચ્યા રહી ન શકાય. આ રીતે અઠ્ઠાવનની સાલ સુધીમાં મને એક પ્રબળ મળવા કર્યાં.
ચોક્કસ સમય યાદ નથી પણ લગભગ એ જ ગાળામાં પ્રકાશ પત્રમાં વીર અને પુરુષાર્થા શ્રીમાન ધર્મવિજયજી મહારાજના કાશીમાં સંસ્કૃત અભ્યાસ માટે થનાર પ્રયાણના સમાચાર વાંચ્યા. પ્રકાશ પત્રના આ સમાચારે મારા જીભૂક્ષિત મનને વધારે ઉશ્કેર્યુ અને સાથે સાથે એ અંધારયુગી જીવનક્રમમાં એક આશાનું કિરણ મારી સામે ફેંકવું. તે પછી ખાનગી વિવિધ પ્રયત્નને પરિણામે છેવટે હું ૧૯૬૦માં નવજીવનપ્રવેશક અને પાષક શ્રીમાન ધવિજય મહારાજનાં ચરણામાં કાશી સ્થળે આવ્યા. આ વખતની અને ત્યારપછીના અત્યાર લગીના લગભગ એકત્રીશ વર્ષની આત્મકથા કહેવાનું આ સ્થાન નથી તેમ જ એટલે સમય પણ અત્યારે નથી. હું જાણું છું કે
એ
આત્મકથામાં શાસ્ત્રમથન, શાસ્ત્રવિચારણા, વચિંતન, ધર્મમંથન, સમાજ પરિચય, સામાજિક પ્રશ્નોના ઉહાપોહ, ફિરકાના સ્થાનમાં સમાજદૃષ્ટિનું અને સમાજના સ્થાનમાં રાષ્ટ્ર તેમ જ વિશ્વદષ્ટિનું સ્થાન ઇત્યાદિ જે વિષયા અનુભવગત છે તે જો મોકળા મને પૂરા વખત લઈ ચર્ચું તે ઘણા જણ એ વાંચી પોતાના અનુભવાને એની સાથે સરખાવી સામ્ય અનુભવી શકે અને તેના પતન-ઉત્પતનમાંથી તેઓ પેાતાના વિષે પણ કાંઈક વિચારી શકે, પરંતુ અહીં મારા ઉદ્દેશ પરિમિત છે અને તે એટલા જ કે પ્રકાશ પત્રનું મારા જીવનમાં શું સ્થાન છે એ દર્શાવવું.
શ્રીયુત પરમાનંદ કાપડિયાના પ્રકાશ પત્ર સાથેના સંબંધ પછી જે કાંઇ તેમાં વિશાળતા અને ઉદારતાની દિશામાં થોડા ફેરફાર થયા છે તેને અને ખીજા અતિ થોડા ફેરફારને બાદ કરીએ તે! એ પત્ર વિષે આ ક્ષણે મારા મન ઉપર ચેાગ્ય પત્રવની સારી છાપ નથી. મારા મન ઉપર એવી અપ પડી છે કે એ પત્ર તાત્ત્વિક રીતે અભ્યાસપૂર્ણ અને તદ્દન નિષ્પક્ષપણે સામાન્ય ધર્મના પણ વિચાર નથી કરતું તેા પછી જૈનધમા વિચાર કરવાની અને તે ઉપર પ્રકાશ ફેંકવાની વાત તે બાજુએ જ રહી. પરંતુ જે મારી
આ ધારણા આંશિક પણ સાચી હોય તો તે અત્યારની માનસિક ભૂમિકાની છે. મારું મન ઘણા નાના—મેટા વાડા વટાવી આગળના અલક્ષિત મેદાનમાં કૂદકા-ભૂસકા મારતું હાય અને જુદી જુદી દિશા સ્પર્શીવા ટકતું હાય તા એ એના ગુણુ કે દોષથી પ્રકાશ પુત્રને વિષે એમ કલ્પે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org