________________
અભ્યાસદશાનાં કેટલાંક સ્મરણે
[૨૫૧ દાખલાઓ આજે યાદ આવે છે. રેલમાં તે વખતે હાજત દૂર કરવાની સગવડ બહુ ઓછી હતી. મહેસાણાથી પેશાબની હાજત થઈ. રેલ ઊભી રહે; પણ મનમાં થયા કરે કે ઊતરશું અને ચાલશે તો ? આ શંકાએ
જ્યાં જ્યાં વીસ અને ત્રીસ મિનિટ રેલવે ઊભી રહેતી ત્યાં પણ નીચે ઊતરવા ન દીધા. અને અંદર બીજા ડબામાં સગવડ શોધવા પણ જવા ન દીધા. મારા સાથી મારે જ ભાગ્યે કાશી માટે નીકળેલા. તેઓ હતા તે ટ્રેઈન્ડ. પણ કશું જ ન જાણે. છેવટે મારવાડના નાના સ્ટેશને મેં કહ્યું કે હવે તો છેવટે ઊતરી જ જવું; પણ આમ મરી નહિ જવાય. ત્યાં ઊતર્યા, પણ દબાણને લીધે પેશાબની હાજત જ રેકાઈ ગઈ, અને વધારામાં દરદ ઊઠયું. ગાડી ચાલી ગઈ. ગુજરાતના એક વૈષ્ણવ વૃદ્ધ સ્ટેશન માસ્તરે જાણ્યું કે અમે કાશી જઈએ છીએ અને તે પણ સંસ્કૃત ભણવા, ત્યારે તે તેઓએ પ્રેમ વર્ષાવ્યો અને બીજી ગાડી સગવડવાળી શોધી આપી. અમે રેલવેમાં તે વખતે મુખ્ય ત્રણ કામ કરતા. ખૂબ ખાતા, સ્ટેશને ગણતા અને બાકી. વખત બચે ત્યારે ઊંધતા.
પહેલાં સાંભળેલું કે આગ્રા, કાશી, એ ધૂર્તનાં સ્થાને છે. એટલે આગ્રા સ્ટેશન આવ્યું ત્યારે સાવધ થઈ ગયા. અનુભવ પણ ધૂર્તતાને જ
. જેમ તેમ કાશી પહોંચ્યા. ત્યાંની સાંકડી ગલીઓમાં પગ મૂકતાં જ વિવિધ અનુભવ થવા લાગ્યા. એક બાજુથી ભયંકર દુર્ગધ આવે, બીજી બાજુ બચે, હઠ, કહાં જાઈયેગા વગેરે અશ્રુતપૂર્વ ભાષા કાનમાં પડવા લાગી. અને ધીરે ધીરે જોયું કે અહીંની તે બધી જ રહેણીકરણ જુદા પ્રકારની છે. મકાન તદન પથ્થરનાં, લાકડું ફક્ત કમાડમાં દેખાય. પાયખાનાં એવા સાંકડાં અને ગંદાં કે એમાં મનોનિગ્રહને અભ્યાસ જ કરવો પડે. અધૂરામાં પૂરું જે પાઠશાળામાં રહેવાનું હતું ત્યાં જૈન સાધુઓનું સામ્રાજ્ય હોવાથી સ્વચ્છતાનો આદર્શ જ લગભગ લપાઈ ગયે હતો. આ બધી કંટાબાવાળી સ્થિતિ હતી. પણ આશા એક જ હતી અને તે બહુ જ મેટી હતી કે કાશીમાં ભરીને પણ સંસ્કૃત શીખવું જોઈએ.
કાશી એટલે માત્ર વિશ્વનાથ અને ગંગાને લીધે જ તીર્થ નથી, પણ એ અનેક જૂની વિદ્યાઓનું રક્ષણધામ હોઈ તીર્થ છે. કાશીમાં જેમ લુચ્ચાઈ ને ગુંડાશાહીનું રાજ્ય છે, તેમ વિવિધ ભારતીય વિદ્યાઓનું પણ રાજ્ય છે. ત્યાં સંગીત, નૃત્ય, કુસ્તી, કારીગરી આદિની સાથે જ શાસ્ત્રીય બધી વિદ્યાઓ, હજી જીવે છે. પ્રત્યેક વિદ્યામાં વિશાળતા ઓછી છે, પણ ગહનતા ઘણું છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org