________________
ર૩૦]
દર્શન અને ચિંતન અહીં વાચકોને જણાવી દેવું ઉચિત ધારું છું કે જે મારા વિદ્યાગુરુહિંદુ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિભાગમાં છે તે મુખ્ય નૈયાયિક છે, પણ ખરી રીતે તે વૈદિક બધાં દર્શનના નિષ્ણાત પંડિત છે. મેં જેટલા પંડિતો જોયા છે તેમાં આમનું વિદ્યાદષ્ટિએ મુખ્ય સ્થાન છે અને એ ત્યાંના પ્રધાન પંડિત છે. ધ્રુવ સાહેબ પિતે તેમનાથી ખૂબ જ સંતુષ્ટ છે. અને તે પંડિતજના હોવાથી હિંદુ યુનિવર્સિટી ગૌરવ માને છે. એ પંડિતની થોડી. ચર્ચા કહું. શરીરમાં માત્ર અસ્થિ શેષ છે. ઉંમર મટી નથી. અભ્યાસ કરાવવામાં અને તેનાં પરિણામ લખવામાં ખાસ કરી પ્રાતઃકાળમાં ઉત્પન્ન થયેલ વિચારે નોંધવામાં એવા નિમગ્ન રહે છે કે ફરવા સુદ્ધાં જતા નથી. એ મોટો દોષ છે, છતાં વિદ્યાની ઉપાસના કેટલી તીવ્ર છે એ જણાવવા. ખાતર આ વાત આપું છું. પ્રાતઃકાળમાં ચાર કલાક અને બપોરે બેથી રાતના નવ વાગ્યા સુધી સાત કલાક એ અગિયાર કલાકના માત્ર બૌદ્ધિક કાર્ય નહિ પણ અધ્યાપન કાર્યના સતત અનુશીલનથી તેમની પ્રત્યેક દર્શનવિદ્યા કેટલી જાગ્રત હશે એની કલ્પના દૂર બેઠાં અનભિજ્ઞને ન આવી શકે. મેં તો શિષ્ય ભાવે તેમને હવે આટલું અધ્યાપન ન કરવા કહ્યું. તેમણે સ્વીકાર્યું પણ. અસ્તુ. એ અને એમના જેવા પંડિતો કાશીમાં છે એ જ મારે મન કાશીની વિશેષતા છે. પંડિતન્ય કાશીમાં ગંગા ઉત્તરવાહિની હત અને બુદ્ધનાં પૂર્વસ્મરણો કરાવતાં હોત, અને બીજી કેટલીક કળા કારીગરીની વિશેષતાઓ આજે છે તે હોત તો પણ હું કાશીને તીર્થનામ કદી પણ ન આપત. કાશીનું તીર્થ એ ભારતીય શાસ્ત્ર વિદ્યાના સંરક્ષણમાં સમાયેલું છે. જો એ ન હોય તે બાકીની બધી કાશીની વિશેષતાઓ અન્યત્ર પણ લભ્ય છે.
મને જૈન જાણું એક જૈન વિદ્યાર્થીઓનું નાનું મંડળ પણ એકઠું થઈ ગયું, જે કોલેજમાં જુદા જુદા વિષય લઈ શખે છે, અને જુદા જુદા પ્રાંતમાંથી એકઠું થયેલું છે. ચાલુ અભ્યાસની રાષ્ટ્રીયતાની, જૈન સમાજની વર્તમાન સ્થિતિની, તેના ફિરકાઓના બહુ કીમતી ઝઘડાઓની છેડી ઘણી ચર્ચા થઈ. અહીં નોંધવા જેવી બાબત એ છે કે તેમાંના અમુક વિદ્યાથીઓને બીરલા ઑલરશીપ મળે છે. જૈન, શીખ, કાયસ્થ વગેરે બધાએ એને લાભ લે છે. મારા સાંભળવા પ્રમાણે એવી સેંકડે સ્કોલરશીપ તેઓ કાશીમાં આપે છે. માત્ર શુદ્ધ વિદ્યાદષ્ટિથી આવી રીતે ધનનો ઉપયોગ કરનાર હિંદુસ્થાનમાં કેટલા હશે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org