________________
શાંતિનિકેતન
[ ૧૯૫
પણ ભય રાખ્યા સિવાય નિઃશકપણે રમ્યા કરે છે. હાઈસ્કૂલ સુધીનું શિક્ષણુવાહન માત્ર અંગાળી ભાષા જ છે, કાલેજના વિષયેા અંગ્રેજી મારફત ચલાવવામાં આવે છે. આ સિવાય ત્યાંની આકર્ષક સંસ્થા કલાભવન અને વિદ્યાભવન છે. એ એ ભવને એક જ મકાનમાં છે. ઉપર કલાભવન અને નીચે વિદ્યાભવન છે. કલાભવનમાં પ્રસિદ્ધ ચિત્રકાર નક્લાલબસુની પીંછી વિવિધ રૂપે દર્શન દે છે. પાસેના મ્યૂઝિયમમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીએ જુદા જુદા કમરામાં સમાહિત મને ચિત્રની તાલીમ લીધા જ કરે છે. નીચલા ભાગમાં હસન્મુખ અને વિદ્યાનિષ્ઠ ભટ્ટાચાર્ય વિરોખરી સતત પેાથીએ ઉથલાવતા અને વિદ્યાથી એને ભણાવતા બેઠેલા રહે છે. એમાં મેાટા પુસ્તકસંગ્રહ છે. એમાં (મારું સ્મરણ સાચું હોય તા ) છપાયેલાં પુસ્તકા લગભગ પાંત્રીસ હજાર છે, અને હસ્તલિખિત ચાર હજાર. વિશેષતા એ છે કે દુનિયાની પ્રસિદ્ધ પ્રસિદ્ધ બધી ભાષાઓમાં જે મહત્ત્વપૂર્ણ પુસ્તકા પાયાં છે તે બધાં એ સગ્રહમાં છે. અને માટે ભાગે દરેક દેશની સરકાર તરફથી એ કિ ંમતી પુસ્તકે કવિશ્રીને ભેટમાં મળેલાં છે. એટલે એ પુસ્તકસંગ્રહને તેમ જ મ્યૂઝિયમને કવિશ્રીના ભેટસગ્રહ કહી શકાય. મહાત્માજીને આજ સુધીમાં મળેલાં ગમે તેવાં માનપત્રો એકઠાં કરવામાં આવે તે તેને પણ એક આવે વિશાળ સંગ્રહ અને, હસ્તલિખિત પેાથીએમાં મેટા ભાગ તિબેટન ગ્રંથાના છે. એ ગ્રંથા મૂળ સંસ્કૃત કે પાલિમાં અને તેના અનુવાદ તિબેટન ભાષામાં છે. કલાભવનના પ્રાણ નંદલાલબાપુ અને વિદ્યાભવનને પ્રાણ ભટ્ટાચાય જ છે. ભટ્ટાચાર્યજી એ એક−દેશીય અભ્યાસી નથી. તે વૈદિક સાહિત્ય ઉપરાંત જૈન અને બૌદ્ધ સાહિત્યના પણ અભ્યાસી છે. બૌદ્ધ ગ્રંથા ઉપરની તેમની કૃતિઓ પ્રસિદ્ધ છે. ( પાલિપ્રકાશ, પાટિમે ખસુત્ત ) તેઓ માત્ર સંસ્કૃત, પ્રાકૃત, પાલિભાષાના જ શિક્ષક નથી, પણ આજકાલ તે તિબેટન ભાષા ખૂબ પરિશ્રમ અને એકાગ્રતાપૂર્વક શીખવે છે. જે સંસ્કૃત ગ્રંથ મૂળ સ્વરૂપમાં દુર્લભ છે અને જે મહત્ત્વના છે તેના તિબેટન અનુવાદો સુલભ હોવાથી તે ગ્રંથા મારફત વિદ્યાર્થીઓને શીખવે છે, અને તિબેટન અનુવાદ ઉપરથી પાછું મૂળ સંસ્કૃત બનાવી નષ્ટ ગ્રથને પુનર્જન્મ આપે છે. જૈનાચાર્ય હરિભદ્રની ટીકાવાળા બૌદ્ધાચાર્ય પ્રણીત
4
ન્યાય પ્રવેશ ' મૂળ ગ્રંથનું સંપાદન આચાય ધ્રુવ ( ગાયકવાડ એરિએન્ટલ સંસ્કૃત સિરિઝ તરફથી) કરે છે જે હજી પૂરું થયું નથી. પરંતુ એ જ ગ્રંથના તિબેટન અનુવાદ સંસ્કૃત છાયા સાથે ભટ્ટાચાર્યજીએ કરી દીધા છે. વાતચીત, સહવાસ, અને પ્રવૃત્તિ દ્વારા મારા મન ઉપર છાપ પડી કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org