________________
મારે પંજાબનો પ્રવાસ
[૩] ઉનાળાની આ રજા પંજાબમાં ગાળવાનો પ્રસંગ આવ્યો તેથી મારી ઉત્સુક્તા અને આનંદવૃત્તિ ખૂબ વધ્યાં. પંજાબને આ પ્રવાસ ચોથી વખત હતો. પહેલાં ત્રણ વાર હું ત્યાં ગયેલે પણ તે વખતે તેટલે દષ્ટિઉન્મેષ ન હતા. આ વખતના પ્રવાસમાં મારાં ખાસ ત્રણ દૃષ્ટિબિંદુઓ હતાં. (૧) પ્રાંતિક વિશેષતા નિહાળવાનું; (૨) આર્ય લોકોની પ્રથમ આવી વસવાટ કરવાની ભૂમિ તરીકે તેની વિશેષતા જોવાનું અને (૩) અસાગ પહેલાંની અને ત્યાર પછીની તે ભૂમિની સ્થિતિ અવલકવાનું.
મારી ઈચ્છા આખા પંજાબમાં ફરવાની ન હતી, પણ ગુજરાનવાલા, અમૃતસર વગેરે જેવાં ખાસ સ્થળે જ નિહાળવાની હતી. પંજાબના હત્યાકાંડ વખતે ત્યાંની ખરી હકીકત મેળવવા નિમાયેલી તપાસસમિતિ તરફથી જે રિપોર્ટ બહાર પડ્યો છે તેના વાચકને ગુજરાનવાલા સ્મરણમાં હોવું જ જોઈએ. અમૃતસર તો જગજાણીતું છે. પહેલાં હું ગુજરાનવાલાની વાત કહી દઉં.
- ગુજરાનવાલા અમદાવાદથી તા. ૪ એપ્રિલે પિરે ફાસ્ટમાં નીકળી દિલ્હી અને લાહોર થઈ તા. ૬ એ ગુજરાનવાલા પહોંચ્યો. આ શહેરની વસ્તી લગભગ સાઠ હજારની હશે. પંજાબ પિતાનાં સુંદર હવાપાણી માટે પ્રસિદ્ધ છે; અને તેની સરસ આબોહવા માટે જે કેટલાક ખાસ સ્થળે પ્રસિદ્ધ છે તેમાં ગુજરાનવાલા પણ એક ગણાય છે.
જેમ ત્યાંનું પાણી પિષક અને પાચક છે તેમ ત્યાં પાણીની છૂટ પણ ખૂબ જ છે. લગભગ દરેક ઘરે અને દરેક સ્થળે જમીનમાંથી સીધા પંપ મૂકેલા હોય છે. ત્યાં જમીનમાં પાણું દેઢ બે હાથ ભાગ્યે જ ઊંડું હશે. આથી ગમે ત્યાં બેસી પંપ ચલાવીએ કે ધોધમાર પાણી આવ્યું જ જાય. આખા શહેરમાં આ પંપની પદ્ધતિને લીધે નળની વ્યવસ્થા દાખલ થઈ નથી. જ્યારે પીવાનું કે નાહવાનું મન થાય ત્યારે સીધું જમીનમાંથી પાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org