________________
૨૦૨]
દર્શન અને ચિંતન કાઢી લેવાનું, એટલે એ જેટલું તાજું તેટલું જ ઠંડું. સ્નાન કરનારને ખાસ કરીને ગુજરાતીને–પહેલાં તો પાણુ હિમ જેવું ઠંડું લાગે ને ગભરાવી– થથરાવી મૂકે, પણ એકવાર તે થોડી ડોલ પોતાના શરીર પર છવ મેટો. કરી રેડી દે કે પછી પંપ નીચેથી ઊઠવાનું મન જ ન થાય; એટલી આ પાણીની બલપ્રતા અને તાજાપણાની શક્તિ.
કેટલાંક વર્ષ અગાઉ જમીનમાં પાણું આટલું ઉપર ન હતું, પણ જ્યારથી ત્યાં નહેર આવી ત્યારથી પાણી વધ્યું. એ નહેર સતલજ નદીમાંથી લેવામાં આવી છે. ત્યાંની નહેર ગુજરાતની એક મોટી નદી સાથે સરખાવી શકાય. તે નહેરનો પુલ લગભગ ૧૧૦ કદમ જેટલું લાંબો છે. અને તેટલા પહોળા પટમાં ખૂબ ઊંડું પાણી વહ્યા કરે છે. એ નહેરથી ત્યાં લાભ થયો છે તેમ જ હાનિ પણ થઈ છે. ઘણેખરે સ્થળે પાકમાં વધારે થયો છે, પણ પાણીના અતિ વહેણને લીધે આજુબાજુનાં કેટલાંક ગામનાં ખેતરોની ફળદ્રુપતા ઓછી થઈ છે અને કવચિત કવચિત નાશ પણુ પામી છે. જમીનને ક્ષાર ભાગ ઉપર આવી જવાથી જ્યાં પાણી પડયું હોય ત્યાં તે જલદી સૂકાતું નથી; તેથી ખેતી કરવામાં પણ ઘણી અડચણ આવે છે. જમીનમાં પાણી બહુ ઉપર આવી જવાથી મકાનોની સ્થિરતાને ધકકો લાગે છે અને ખુદ ગુજરાનવાલામાં ઘણું પાકાં અને મજબૂત મકાને એ જ કારણથી કાં તે જમીનદોસ્ત થયાં છે કે કેમ તે ફાટી ગયાં છે. નવી ઈમારતો બંધાવવા ઈચ્છનાર કેટલાક દીર્ધદશીએ આ કારણથી હાલ તો વિચારમાં પડી ગયા છે.
ત્યાંની ખાસ નીપજ ઘઉં, ચણ, અડદ અને ચોખાની છે. ઘાસ પણ પુષ્કળ થાય છે. પહેલી ત્રણ ચીજે તો ત્યાંના લેકે ખાસ વાપરે છે. ચોખા ખાવાને રિવાજ ત્યાં નામ માત્રને છે. સારા શ્રીમંત ગૃહસ્થને ત્યાં ચોખા વારતહેવારે જ ધાય. આ ચોખા બહુ સારા અને કિંમતી હોય. છે. આપણું અમદાવાદની બજારમાં મળતા બાસમતી અને વાંસીના ચેખા તે જ આ ચેખા. સારામાં સારા ચોખાની કિંમત ત્યાં જ આપણું ભણના દિશ રૂપિયા પડે છે. ત્યાંના લોકોને પૂછીએ કે “તમે ભાત કેમ ખાતા નથી ?
ત્યારે જવાબમાં હસીને કહે: ! “એ તમને ભાતખાઉ પોચા ગુજરાતીઓને સયું. અમારાં આ ડુંડ એથી કાંઈ ડાં જ ભરાય ?'
ત્યાંના લોકોને મુખ્ય ખોરાક ઘઉં અને અડદ છે. ત્યાં અડદને એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org