________________
બાબું દયાલચંદજીનાં કેટલાંક સંસ્મરણે
[૧૭૩ જ નહિ. આ કાળે એમને ધંધે એટલે બધે ધીખતે ચાલતો કે આજે તો એની કલ્પના પણ ભાગ્યે જ થઈ શકે. યુરોપ, અમેરિકાના પ્રવાસીઓ અનેક રાજાઓ અને અમલદારે એમની સુપ્રસિદ્ધ દુકાને જ્યારે દેખો ત્યારે હોય જ. બાબુજી મને કહેતા કે આપણે આગરાથી કાશી જઈએ, ત્યાં કામ શરૂ કરીએ, સંસ્થા ઊભી કરીએ ત્યારે હું પણ ધંધે છોડી ત્યાં જ આવી બેસવાને. તેઓ હું રહેતો ત્યાં જ સાથે રહે. સવારે વહેલા ઊઠી. મારી પાસે કંઈક વાંચે અને ઘડિયાળના કાંટાની પેઠે નિયમિત રીતે પાછા. પિતાને કામે ચાલ્યા જાય. તેમણે ધર્મશાળાની યોજના કરી, સંઘ દ્વારા તે બંધાવી, મંદિર, ઉપાશ્રય આદિને વહીવટ તપાસે. એક હિંદી પાઠશાળા અને ધાર્મિક શિક્ષણ આપતી પ્રવૃત્તિ પણ શરૂ થઈ ગઈ આ બધાં કામે તેઓ આગરા સંઘને આગળ કરીને જ શરૂ કરે અને સૌને સાથે લેવાને. પ્રયત્ન કરે.
ત્યાંના અનેક યુવક અને આધેડની સાથે અખાડો ચાલે તેમાં તેઓ. પોતે પણ કુસ્તી કરે. શરીર સાચવવા અને સબળ રહેવાનો જુસ્સો એ ત્યાંના અખાડાનું મુખ્ય લક્ષણ હતું. બાંધાની મજબૂતી અને કુસ્તી-કસરતની ટેવે તેમનામાં એક અનેરે જુસે પેદા કરે. એની પ્રતીતિ માટે અહીં એકદાખલે ટાંકું તે તે પૂરતો થઈ પડશે.
પહેલી લડાઈના દિવસો હતા. બ્રિટિશ અમલદારે પૈસાદાર વ્યક્તિ કે કામો પાસેથી પૈસા કાવવાની અનેક રીતે અજમાવતા. એક રીત એ હતી કે જે પૈસાદારો ફાળો ન આપે તેના રક્ષણ પ્રત્યે અમલદારે બેપરવા રહે. ઓસવાલ જૈનોએ ખાસ ફાળો નહિ આપેલ, એટલે તેઓ હેરાન થાય તે સરકાર સાંભળે નહિ. પ્લેગના દિવસોમાં સવાલ કુટુંબે. ઉનાળામાં પિલા હીરવિજયસૂરિવાળા બાગમાં રહેવા ગયેલા. એક રાતે લગભગ વીસેક ધાડપાડુઓ આવ્યા અને કમાડે તોડી સ્ત્રીઓ પાસેથી દાગીના. આદિ લેવા મથ્યા. બાબુજી એક દૂર જગ્યાએ સૂતેલ. ઘોંઘાટ સાંભળી ઊઠયા. હાથમાં કાંઈ હતું નહિ, રસ્તામાં એક–એ–ધાડપાડુઓએ તેમને ક્યા.. લાકડીઓ મારી. બાબુજીએ એક લાકડી એવી રીતે પકડી કે પેલે મારનાર કેમે કરી છોડાવી ન શકે. આ રસાકસીમાં પાછળથી બીજા ચોરે આવી બાબુજીને એટલા બધા ઘાયલ કર્યા કે છેવટે બેભાન થઈ પડ્યા. ઘણે સ્થળે હાડકાં તૂટી ગયાં. અનેક મહિનાઓ પછી સાજા થયા. પણ મેં એમને જુસ્સો કદીયે નરમ પડતો ન જે. ખાટલે હતા ત્યારે પણ બધા તસણ અને આગે--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org