________________
આબુ દયાલચંદજીનાં કેટલાંક સંસ્મરણે
[૧૭૫ સાથે આવી મંડળમાં જોડાયા. સદ્દગત પં. ભગવાનદાસ અને પં. બેચરદાસ પણ આવી ગયેલા. એક ઉત્સાહી ક્ષમામુનિ નામના સાધુ પણ (કે જે પાછળથી સ્વર્ગવાસી થયા) મંડળમાં જોડાયા. એમ અનેક રીતે મંડળ વિર્યું.
અમે ભાષાન્તર અને સ્વતંત્ર લખાણોનું કામ કરતા અને ઉપર સૂચવેલી બધી પ્રવૃત્તિઓ ચલાવ્યે જતા. પણ આ બધાં જવાબદારીવાળાં અને બુદ્ધિની ઠીક ઠીક કસોટી કરે એવાં કામની પાછળ રેશન મહોલ્લા જેવા ગંદા મહોલ્લામાં કે ઉત્સાહપ્રેરક અને તાજગી બક્ષનાર બળ હોય તો તે દયાળચંદજીનું અડીખમ વ્યક્તિત્વ હતું. એ જ વ્યક્તિત્વને લીધે ૧૯૨૧ સુધીમાં અમારા મંડળની અનેક પ્રવૃત્તિઓ વિકસી અને મૂર્ત પણ બની.
૧૯૨૧માં ગાંધીજીની હાકલ પડી. સ્વરાજ્ય મેળવવાને જુસ્સો દેશમાં એટલે સુધી વધેલું કે હવે માત્ર શાસ્ત્રીય પ્રવૃત્તિમાં મન ચોટતું નહિ, પણ જે કામે પ્રારંભ્યાં તેનું શું ? આ નૈતિક પ્રશ્ન હતો. બાબુજી સાથે મેં વિચાર કર્યો. તેમના મનમાં પણ સ્વરાજ્યની ઝંખના ઓછી ન હતી. છેવટે અમે બંનેએ નક્કી કર્યું કે જે જે લખાણ તૈયાર છે તે બધાં જ છપાવી દેવાં અને મારે આગરા તેમ જ કાશીનો મોહ છોડી અમદાવાદ આવી રહેવું અને આગરામાં શરૂ કરેલ સાહિત્યિક પ્રવૃત્તિઓ અમદાવાદમાં બેસીને જ ચલાવવી. જરૂર હોય એવા સાથીઓ રાખવા, ખર્ચની ચિંતા બાબુજી સેવે અને કામની ચિંતા હું એવું. બાબુજીના આવા વલણથી હું એમની સાથે અંતરથી હમેશાં જોડાઈ રહ્યો, અને અમદાવાદ રહેવા છતાં તેમનો સંબંધ વધારે ને વધારે ગાઢ થતો ગયો. એટલે સુધી કે ગુજરાત વિદ્યાપીઠમાં જોડાઈ હું કામ કરતો ત્યારે પણ તેઓ અવારનવાર અમદાવાદ આવી જાય અને બનતું કરવા ન ચૂકે.
બાબુજી ૧૯૧૯ આસપાસથી કલકત્તામાં ધંધો કરવા ગયેલા, ત્યાં રાષ્ટ્રીય કેંગ્રેસની બેઠક થઈ ત્યારે તેમણે શ્વેતાંબર જૈન કૅન્ફરન્સની બેઠકનું પણ વિચાર્યું. કલકત્તાવાસી અને મુર્શિદાબાદ-અજીમગંજવાસી અનેક શ્રીમાને અને શિક્ષિત બાબુજી પ્રત્યે શ્રદ્ધા સેવતા, અને બાબુજીની માગણીને સંતોષવામાં ધન્યતા પણ અનુભવતા. ઘણુ પૈસાદાર એમ કહેતા કે દયાળચંદ, તમે કામ કરાવ્યે જાવ, પૈસાની ચિંતા ન રાખશે.” હું કલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org