________________
શાસ્ત્રોદ્ધારક સ્વ. મુનિશ્રી ચતુરવિજયજી
[ ૨૭ ]
ડિસેમ્બરની ચોથી તારીખે અણુધાર્યા જ પરમાનંદભાઈ મારી કાટડીમાં આવી ઊભા રહ્યા. હું મિત્રા સાથે કાંઈક વિદ્યાાષ્ટિમાં જ પડેલે હતા. પ્રસંગ નીકળતાં મેં મુનિશ્રી ચતુરવિજયના સ્વર્ગવાસ વિષે આવેલ તારની તેમને વાત કહી, અને તેમણે તુરત માગણી કરી કે તમે ‘ પ્રબુદ્ધ જૈન’. વાસ્તે તેમને વિષે કંઈક લખી આપે !
હું ઉક્ત મુનિશ્રીના સ્થૂળ અને સૂક્ષ્મ જીવનથી પૂર્ણ તો પરિચિત નથી જ. પણ હું અમુક લાંબા વખત લગી તેમના ઘેાડા પરિચયમાં આવ્યા છું. ખાસ કરી મારી અને તેમની વચ્ચે સાહિત્યિક અને શાસ્ત્રીય સંબંધ વધારે હતા તેથી મારા ઉપર તેમના જ્જૈનના જે સંસ્કારો પડેલા મને યાદ છે તેનું ટૂંકમાં પ્રદર્શન કરાવીને જ ભાઈ પરમાનંદભાઈની ઇચ્છાને મૂરૂપ આપી શકું.
પ્રવક અને સર્વાધિક વયેાવૃદ્ધ તરીકે પ્રસિદ્ધ પૂજ્ય મ. શ્રી કાન્તિવિજયજીના એ શિષ્ય હતા. સમભાવમાં અને જૈન સાહિત્યના ઉદ્ઘારમાં પ્રસિદ્ધ મુનિ શ્રી પુણ્યવિજયજીના એ ગુરુ થાય. કાળધર્મ સમયે એમની ઉંમર કેટલી હતી તે ચાક્કસ નથી જાણતા. પણ આશરે સિત્તેરેક વર્ષની તા હશે. તેમની કૌટુંબિક તેમ જ શિષ્યપરિવારને લગતી હકીકત તા કાઈ તન જ લખશે. હું કાશીમાંથી વિદ્યાભ્યાસ કર્યા બાદ જ્યારે ગુજરાતમાં સર્વપ્રથમ કામની દૃષ્ટિએ ગયા ત્યારે મને થયેલ અનુભવ ઉપરથી મેં નક્કી કર્યુ છે કે મારે સાધુ વને ભણાવવા કાંઠે તેમની પાસે ન જવું અને ન રહેવું. ખાસ કરી અમુક બંધન સ્વીકારીને તેા કાઈ સાધુએને ન જ ભણાવવા. જો તેએ જિજ્ઞાસા દૃષ્ટિથી મારી પાસે આવે તે તેમને પૂર્ણ કાળજી અને આદરથી શીખવવું. આ વિચારને પરિણામે મે મારું કાર્યક્ષેત્ર બદલવાના જ નિર્ણય કર્યોં. દરમિયાન અમુક પ્રામાણિક વ્યક્તિએ તરફથી મને કહેવામાં આવ્યું કે મારા એ નિર્ણયને અમલમાં મૂકવા પહેલાં મારે એક વાર પ્રવર્તી કજીના પરિચય કરવા. મેં એ સલાહ સ્વીકારી અને પ્રવતું કછના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org