________________
૧૯૨]
દર્શન અને ચિંતe વિચાર અને વર્તન એ ધર્મમેઘ * બની જાય છે. એનું જીવન જોતાં જ, એનાં વચને સાંભળતાં જ. એની કર્તવ્યદિશા નિહાળતાં જ માણસનું ચિત્ત ભક્તિથી દ્રવવા લાગે છે.
મંગળયાત્રા જીવનમાં શરૂ થઈ તો પછી તેને યાત્રિક ગમે તે ક્ષેત્રમાં ને ગમે તે વિષયમાં વિચાર કે કામ કરતો હશે તો તેમાં એને મનની ગૂંચે કંઈ બાધા નાખી નહિ શકે, એટલું જ નહિ પણ તે આખા વિશ્વને આત્મવત જ લેખશે.
–“પ્રબુદ્ધજીવન” તા. ૧૫-૮-૧૯૫૩
* “ધર્મમેધ” એક પ્રકારની સમાધિ છે. તે અવસ્થા સમાધિમાં બહુ ઊંચી ગણાય છે. જ્યારે ચિત્તમાંથી કલ્યાણની જ વર્ષા થાય, અને શુદ્ધ અને શુભ વિચાર તેમ જ પ્રવૃત્તિને ઝરે છે. શાસ્ત્રમાં આ ખાસ શબ્દ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org