________________
અલિ
[ ૧૪૭
સાગ માકા કરે. સદ્ભાગ્યે એમને સાથીઓ અને મિત્ર પણ સારા મળેલા. સદ્ગત મેાતીચંદભાઈ, મકનજીભાઈ અને માહનલાલ ઝવેરી વગેરે એમના સાથી. જ્યાં એમની મંડળી મળી કે ત્યાં કાંઈક સર્જક વિચાર થાય જ અને કાઈ એક ીજાને પાછો ન પાડતાં ઉત્સાહિત જ કરે. આ વસ્તુ મેં મહાવીર જૈન વિદ્યાલયની મિટિગામાં તથા કોન્ફરન્સ ઑફિસમાંના મિલન પ્રસંગે અનેકવાર જોઈ છે.
મોહનભાઈની અંગત પ્રવૃત્તિ મુખ્યપણે સાહિત્યિક હતી. અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, પ્રાકૃત, અપભ્રંશ અને સંસ્કૃત આદિ ભાષાઓમાં જ્યાં જ્યાં તેમને જૈન સાહિત્ય, તત્ત્વજ્ઞાન કે આચાર વિશે જાણવાનું મળે તે બધાંમાંથી તે એકલે હાથે સંગ્રહ કરે. વાંચનાર પોતે, ભાષાન્તર કરનાર પોતે, પ્રશ્ન જોનાર પોતે. એમ પેાતાની બધી કૃતિઓમાં અને અધાં લખાણેામાં જે કાંઈ કરવું પડયું છે તે બધું લગભગ તેમણે પોતાને હાથે જ કર્યું છે. કોન્ફરન્સ હેરલ્ડ અને જૈનયુગ, જે તે વખતે કૅન્ફરન્સનાં મુખપત્રા હતાં, તેની ફાઈલે જોશે તા જણાશે કે એમાં મુખ્ય આત્મા એમને જ રમે છે. તે મને ધણી વાર વાતવાતમાં કહેતા કે લેાકેા લખાણેાને જૂના ચોપડા ઉખેળનાર અને ઉકેલનાર તરીકે ગણી ટીકા કરે છે કે તમે હેરલ્ડ અને જૈનયુગમાં આ બધું નકામું શું ભરી રહ્યા છે ? ' પણ હવે અત્યારે તે સૌને સમજાય તેવું છે કે મેાહનભાઈનુ પ્રવ્રુત્તિક્ષેત્ર અને કામ વિદ્વાનોને કેટલું ઉપયોગી છે અને તેનું મૂલ્ય કેટલું સ્થાયી છે !
f
પેાતાના સાહિત્યિક કામને માટે શ્રી મેાહનભાઈ ને અનેક પ્રાચીન હસ્ત લિખિત પ્રતા મેળવવી અને તપાસવી પડતી અને એ માટે કામાં રજા પડે કે તરત જ તેએ એ કામમાં લાગી જતા; અને જરૂર લાગતાં અમદાવાદ કે પાટણના જ્ઞાનભડારા જોવા માટે પ્રવાસ પણ ખેડતા. રજાએાને ઉપયોગ આરામ માટે કરવાના તો વિચાર જ શાનેા આવે? ત્યારે તો ઊલટું ખમણા ઉત્સાહથી બમણું કામ કરે અને એમાં એમને કદી પણ થાક કે કટાળેા આવે જ નહી' અને એ કામમાં કંઈક પણ ઉત્તમ કૃતિ મળી આવે તે જોઈ લેા આનંદ. અહી આવા એક પ્રસંગ મને યાદ આવે છે.
હું અને આચાય જિનવિજયજી અમદાવાદમાં રહેતા હતા ત્યારે એક વાર શ્રી માહનભાઈ જ્ઞાનભંડારા શોધવા માટે અમદાવાદ આવેલા. એક દિવસ તેઓ ડેલાના ઉપાશ્રયના ભંડાર જોવા ગયા. અપેારના ગયેલા તે રાતના અગિયાર સુધી પાછા ન આવ્યા. અમે માન્યું કે હવે તે પાછા નહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org