________________
અંજલિ
[૧૪૯ અંગત ખર્ચ અર્પિત કર્યો છે. એક રાતે મેં જોયું કે હું તે સૂઈ ગયો છું અને તેઓ બાર વાગ્યા પછી મારી સાથેની ચર્ચા પૂરી કર્યા બાદ જાગતા બેઠા છે. તેમની બીડી અને કલમ બન્ને સમાનગતિએ કામ કરતાં હતાં. બે વાગે તેઓ સૂતા. સવારે મને કહ્યું કે: “મારે રોજિંદા કાર્યક્રમ આ જ છે. દિવસે વચ્ચે વિક્ષેપ આવે, પણ રાતે નિરાકુળતા. એક વાર તેમની સાથે કોર્ટમાં ગયો, ત્યાંય જોયું કે પ્ર સાથે હતાં, અને વખત મળે કે તા. મેં દાદર, ઘાટકોપર અને મુલંદ એ સ્થળોમાં તેમને અનેક વાર કામ કરતા જોયા છે. રાત રહે તો કામ લેતા આવે. મેં પૂછયું : “આ ભાર શે ? તે કહે “પરિશિષ્ટોનું કામ ચાલે છે. ન કરું તો કરે કેણ? અને રહી જાય.”
અહીં સિંધી જૈન સિરીઝમાં પ્રસિદ્ધ થયેલ એમનું અંગ્રેજી પ્રસ્તાવનાવાળું વિશિષ્ટ સંપાદન “ભાનુચંદ્ર-સિદ્ધિચંદ્ર” કોઈ પણ સ્કેલરનું ધ્યાન ખેંચ્યા વિના રહે તેમ નથી એ યાદ રાખવું ઘટે.
શ્રી મોહનભાઈની પ્રકૃતિ સારા કામમાં કંઈક ને કંઈક ભાગ લેવો જ એવી હતી. એમ કરવામાં તેઓ પિતાની મુશ્કેલીને વિચાર ભાગ્યે જ કરે. તેઓની આવક મર્યાદિત અને કૌટુંબિક જવાબદારીઓ વધારે હતી, એનો નિર્દેશ મેં પહેલાં કર્યો જ છે. એક વાર એક કામનો વિચાર ચાલતો હતો ત્યારે તેઓ આવીને મને કહે, “પંડિતજી, આમાં હું પાંચ રૂપિયા આપીશ.” હું તો સાંભળી જ રહ્યો. મેં કહ્યું : “મોહનભાઈ તમારા માટે તો આ બહુ કહેવાય.” તો કહે કે “મને આ કામ પસંદ છે. એટલે મારે એમાં ભાગ લેવો જોઈએ.” આમ શ્રી મોહનભાઈનું જીવન બર્પણનું જીવન હતું એ જોઈ શકાશે. | ગુજરાત સાહિત્ય પરિષદના અધિવેશન પ્રસંગે તેઓ કાંઈ ને કાંઈ જરૂર લખી મોકલાવે. આચાર્યશ્રી જિનવિજ્યજીએ જૈન સાહિત્ય સંશોધક શરૂ કર્યું તે મેહનભાઈને એમાં સક્રિય સાથ. શ્રી વાડીલાલ મોતીલાલ તેમના પ્રાથમિક મિત્ર, પણ તેમને વિશેષ અને સ્થાયી પરિચય તો અતિહાસિક અને તટસ્થ દષ્ટિવાળા શ્રી નાથુરામ પ્રેમીજી તથા આચાર્યશ્રી જિનવિજયજી સાથે. મહાવીર જૈન વિદ્યાલયના તેઓ પ્રથમથી જ એક કાર્યકર્તા, પણ તેમનું મુખ્ય પ્રવૃત્તિક્ષેત્ર પ્રાચીન સાહિત્યને વર્તમાન યુગની દૃષ્ટિએ ઉદ્ધાર અને પરિચય કરાવો તે. કોન્ફરન્સના એક જાગરૂક કાર્યકર્તા તરીકેનું તેમની સાથે સંકળાયેલું મારું સ્મરણ એ જેમ મારા માટે મધુર છે તેમ એ વિશે બીજાઓએ જાણવું એ તેથી ય વધારે રોચક અને ઉપયોગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org