________________
૧૫૪]
દર્શન અને ચિંતા અનેકાંતને વિકાસ કરવાની અને એના મર્મને જીવનમાં ઉતારીને સમભાવ, સહિષ્ણુતા અને ઉદારતા કેળવવાની જરૂર છે.
સમાજમાં આવા સંસ્કારોનું સિંચન કરવામાં, ધર્મ અને તત્ત્વજ્ઞાનના ઉચ્ચ શિક્ષણનો પ્રચાર કરવામાં અને ઉચ્ચ કોટીનું સાહિત્ય પ્રગટ કરવામાં કેન્ફરન્સ ઘણું ઘણું કરી શકે એમ છે. સદ્ગત શ્રી મેહનલાલ દેસાઈએ
આ બાબતમાં કોન્ફરન્સ દ્વારા પહેલ કરી છે, અને આપણે માટે કર્તવ્યની દિશા સૂચવી છે. હવે એ દિશાને વિકસાવવા અને સમૃદ્ધ કરવામાં જ એમનું ખરું સ્મરણ રહેલું છે એમ સૌ કોઈ સ્વીકારશે.
આટલા પ્રાસંગિક નિવેદનને અંતે સગત શ્રી મોહનભાઈની નિષ્ઠા અને સાહિત્યસેવાને અંજલિ આપી, મને શાંતિપૂર્વક સાંભળવા બદલ આપ સૌને આભાર માની હું મારું વક્તવ્ય પૂરું કરું છું.
–જૈન, ૨૧ જુલાઈ ૧૯૫૬.
* તા. ૧પ-૭-૧લ્પ૬ ને રવિવારના રોજ સગત શ્રી મોહનલાલ દ. દેસાઈના તૈલચિત્રની અનાવરણવિધિ પ્રસંગે આપેલું વક્તવ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org