________________
અનિય
[ ૧૪૫
જૈન સંધના બંધારણમાં ચતુર્વિધ સધનું સ્થાન એકસરખુ છે. કયારેક કાઈ વ્યક્તિ મુખ્ય ભાગ ભજવતી દેખાય યા સર્વોપરી માવડી જેવી લાગે તેાય તેના મૂળમાં ગુણ અને કાર્યશક્તિ રહેલાં હોય છે, નહિ કે પેઢીઉતાર સત્તાને વારસા. આ જૈન સંધનું સ્વરૂપ આજકાલની ભાષામાં કહીએ તે લેાકશાહી છે; અલબત્ત, તે એક ધ'પરપરા પૂરતી, કોન્ફરન્સે પોતાના કા પ્રદેશ મુખ્યપણે ત્રણ ખાખામાં મર્યાદિત કરેલા એમ હું સમજું છું: (૧) ધાર્મિ`ક, (૨) સાહિત્યિક, અને (૩) સામાજિક, ધાર્મિક ખાખતમાં તીના પ્રશ્ન ઉપરાંત ધર્માચાર અને તાત્ત્વિક શિક્ષણ વગેરેનો સમાસ થાય છે. અને ત્યાં લગી નવા જમાનાની માગણીને અનુકૂળ થાય એ રીતે કાન્ફરન્સે સાધન ને શક્તિના પ્રમાણમાં એ ખાખત કાંઈક ને કાંઈક કર્યું જ છે, અને હુયે એ કાંઈક ને કાંઈક કરે જ છે. સાહિત્યની ખાખતમાં એનું કામ વિશેષ ધ્યાન ખેંચે એવું છે, પ્રથમથી જ એણે પ્રાચીન સાહિત્યવારસાને પ્રકાશમાં લાવવાની તેમ રાખી છે અને એ દિશામાં યથાશક્તિ પણ નક્કર કામ કર્યું છે. સામાજિક બાબતમાં કોન્ફ્રે રન્સે દેશમાં વિકસતા જતા · ઉદાર વિચારાને ઝીલ્યા અને યથાશક્તિ પ્રચાર્યા પણ છે.
.
કોન્ફરન્સની ઉપર સૂચવેલી ભૂમિકામાં સદ્ગત માહનભાઈ ના શેષ સંબધ હતા અને તેમણે શા શા ફાળા આપ્યા, મુખ્યપણે એ જાણવું તે જ આજના પ્રસંગ સાથે વિશેષ સંગત છે. મુંબઈમાં સદ્ગત ડૅના. બાલાભાઈ નાણાવટીના પ્રમુખપણા નીચે અધિવેશન થયું ત્યારે હું પહેલવહેલે કન્યૂ રન્સમાં આવેલા, એમ યાદ છે. ધણું કરી તે જ વખતે મેાહનભાઈ ના પ્રથમ પરિચય થયે અને તેમની રુચિ, પ્રવ્રુત્તિ તથા પ્રકૃતિ વિશે કાંઈક જાણવા પામ્યા. તે જ વખતે મારા મન ઉપર એમને વિશે જે સામાન્ય છાપ પડેલી તે જ છેવટ સુધી વધારે ને વધારે પ્રત્યક્ષ પરિચયથી સ્પષ્ટ થતી ગઈ.
મેં જોયેલું કે તેમની પ્રકૃતિ જેમ હસમુખી તેમ આશાવાદી હતી. મે એ પણ જોયું કે તે કાંઈક ને કાંઈક સારું કામ કરવાની ધગશવાળા અને જાતે જ કાંઈક કરી છૂટવાની વૃત્તિવાળા હતા અને એ પણ જોયેલું કે જ્યાંથી જે પ્રાપ્ત થાય અને શીખવાનું મળે ત્યાંથી મુક્તમને તે મેળવવું અને તેને યાગ્ય વિનિમય કરવા.
મુંબઈના પ્રથમ મિલન પછી તેા તેમના છેલ્લા દિવસ સુધીમાં હું અને તે એટલી બધી વાર મળ્યા છીએ કે તેને આંક સ્મૃતિમાં પણ
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org