________________
અધ્ય,
[લ્પ
શકે તેટલાં જૈન જૈનેતર દર્શનેનાં અનેક વિષયોનાં સંખ્યાબંધ પુસ્તકે વાંચી કાઢ્યાં. જે વખતે જૈન પરંપરામાં અતિહાસિક દૃષ્ટિ આવી ન હતી
અને જૈન પુસ્તકે ઉપરાંત શિલાલેખે, તામ્રપત્રો, ભૂગોળ, ભૂસ્તર આદિ વિદ્યાઓને પણ બહુશ્રતપણામાં સ્થાન છે એ કલ્પના જ જાગી ન હતી તે વખતે મળેલાં બધાં સાધને જાણ એતિહાસિક દૃષ્ટિએ જૈનદર્શનની પ્રાચીનતા અને મહત્તા સ્થાપિત કરવાનો પ્રયત્ન એમણે જ પહેલવહેલાં કર્યો હતો. એમનું આશ્ચર્ય પમાડે એવું વિશાળ વાચન, અદ્ભુત સ્મરણશક્તિ અને ઉતર આપવાની સચોટતા એમના સ્મરણીય પુસ્તકમાં પદે પદે દેખાય છે. એ જ બુદ્ધિગે તેમને વિશિષ્ટ દરજજો આવે છે. (૨) ક્રાંતિકારિતા
તેમનામાં બુદ્ધિગ ઉપરાંત એક બીજું તત્વ હતું, કે જે તત્વે એમને મહત્તા અપી છે. તે તત્ત્વપરીક્ષક શક્તિનું અગર તે ક્રાંતિકારિતાનું. ઘણાં વર્ષ અપાર પૂજાના ભાર નીચે એક સંપ્રદાયમાં બદ્ધ થયા પછી તેને કાંચળીની પેઠે ફેંકી દેવાનું સાહસ એ તેમની ક્રાંતિકારિણી શક્તિ સૂચવે છે. એમના આત્મામાં કોઈ એવી સત્યશોધક શક્તિ હોવી જોઈએ કે જેણે તેમને રૂઢિના ચીલા ઉપર સંતુષ્ટ રહેવા ન દીધા. એમનું જીવન બીજા ત્રીસેક વર્ષ લંબાયું હોત તે તેમની ક્ષત્રિચિત ક્રાંતિકારિણી પ્રકૃતિએ તેમને કઈ ભૂમિકાએ પહોંચાડ્યા હેત એની કલ્પના કરવી એ કઠણ છે. પણ એટલું તે એમના તરવરતા જીવનમાંથી ચોખ્ખું દેખાય છે કે તેઓ એકવાર પિતાને જે સાચું લાગે તેને કહેવા અને આચરવામાં કોઈ મોટા ખાન
ખાનાની પરવા કરે કે પ્રતિષ્ઠાથી લલચાઈ જાય તેવા ન હતા. (૩) વારસામાં ઉમેરે
જૈનશ્રતને જે વારસો મળ્યો તે જ વારસો સંભાળી બેસી રહ્યા હતા અને બહુશ્રુત કહેવાયા હતા તે પણ તેમનું આ સ્થાન ન હેત. એમણે દેશકાળની વિદ્યાસમૃદ્ધિ જોઈ નવા સાધને જોયાં અને ભાવિની જોખમદારી જોઈ અને આત્મા તનમની ઊો. તે સાથે જ તે માટે જેટલું પિતાથી થઈ શકે તે કરવા મંડ્યા. એમણે વેદો વાંચ, ઉપનિષદ જોયા, શ્રેતસૂત્રો મૃતિઓ અને પુરાણોનું પારાયણ કર્યું. નવું ઉદ્ભવતું સામયિક સાહિત્ય જોયું. મૃત અને જીવતી બધી જૈન શાખાઓનું સાહિત્ય, તેમને ઈતિહાસ અને તેમની પરંપરાઓ જાણું, અને ત્યારબાદ પિતાને જે કહેવું હતું તે કહ્યું. એમના કથનમાં શાસ્ત્રને પ્રચંડ સંગ્રહ છે. વ્યવસ્થાની પ્રતિભા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org