________________
આચાર્ય શ્રી આત્મારામજી
[૧૨] આજે જે હું કહેવા ઈચ્છું છું તેની જવાબદારી બીજા કોઈ ઉપર નથી. શ્રદ્ધેય આચાર્ય શ્રી વિષે બેલવાને મારે અધિકાર કાંઈ હોય તે તે ફક્ત એટલે જ છે કે લગભગ ૨૫૦ વર્ષથી બંધ પડ્યા જેવા શ્રત અભ્યાસને જે વિશાળમાર્ગ ન્યાયનિધિ શ્રી આત્મારામજી મહારાજે શરૂ કર્યો અને જેમાં સમયને છાજે એવું તે જ મૂક્યું તે માર્ગને હું સાધારણ પથિક છું. મહારાજશ્રીના જીવન વિષે ફક્ત બે બાબત ઉપર મુખ્ય દૃષ્ટિ અત્યારે મેં રાખી છે. ૧. જૈન ઈતિહાસમાં મહારાજજીને દરજજો અને તેના કારણે. ૨. તેમની જગ્યા કોણ લઈ શકે ? ૧. મહારાજને દરજ્જો અને તેનાં કારણે
૨૫૦૦ વર્ષના જૈન ઈતિહાસમાં શ્વેતાંબર-દિગંબર બન્ને સંપ્રદાયે કેટલીક વિભૂતિઓ એવી જન્માવી છે કે ઈતિહાસના લેખક અને અભ્યાસીનું ધ્યાન તેની તરફ ગયા વિના રહે જ નહિ. એવી વિભૂતિઓમાં કેટલીક વિરલ વિભૂતિઓ છેલ્લા હજાર વર્ષમાં શ્વેતાંબર સંપ્રદાય અપ છે તેમાં મહારાજશ્રીનું સ્થાન આવે છે. વાચક યશોવિજયજી પછી તે બસે વર્ષ બહુશ્રુતપણાનું સ્થાન મહારાજજીએ જ વાસ્તવિક રીતે સંભાળી લીધું છે. તેથી છેલ્લા અઢી વર્ષના ઈતિહાસમાં તે શ્વેતાંબર કે દિગંબર બને પંથમાં એક મહાન વિભૂતિ તરીકે મહારાજજી જ નજરે આવે છે. તેમને
આ દરજો પ્રાપ્ત થયાનાં ખાસ વિશેષ કારણે છે, તેની ટૂંકમાં નેધ લઈએ. (૧) શ્રદ્ધા અને બુદ્ધિ
મહારાજજીમાં ગમે તેટલી અડગ શ્રદ્ધા હેત અને ગમે તેટલે શાસન અનુરાગ હેત છતાં જે તેમણે બુદ્ધિદ્વાર ખુલ્લું ન મૂકયું હેત અને મેળવી શકાય તેટલા સમગ્ર જ્ઞાનને મેળવવા અખંડ પુરુષાર્થ કર્યો ન હેત તે તેઓ આચાર્ય પરંપરામાં માત્ર નામના જ દાખલ થયા હોત. તેમણે પિતાની બુદ્ધિને શાસ્ત્રવ્યાયામની કસેટીએ જિંદગીભર કસી. અને જે વખતે છાપેલાં પુસ્તકે બહુ જ ઓછાં હતાં તે વખતે અત્યારના જમાના માણસ ન કલ્પી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org