________________
સ્મૃતિશેષ દાદા
[૧૪] આજે દેશનું એવું કોઈ પણ પ્રસિદ્ધ છાપું નથી જેમાં દાદાસાહેબ વિશે કાંઈ ને કાંઈ લખાયું ન હોય. હિન્દુસ્તાન ટાઈમ્સ’ના તા. ૨૮–૨–૫૬ના અંકમાં પં. શ્રી નેહરએ લોકસભામાં આપેલી ભવ્ય શ્રદ્ધાંજલી. છપાયેલી છે. એથી વધારે સારે ખ્યાલ દાદાસાહેબ વિશે બીજો ભાગ્યે જ આપી શકે.
હું તે અત્રે તેમના વિશે જે કાંઈ લખવા ધારું છું તે મારા ઉપર તેમની સીધા પરિચયથી ઊપજેલી અસર જ છે. તે પ્રમાણમાં મર્યાદિત અને લગભગ અંગત જેવી છતાં અનેક રીતે સૌને બોધપ્રદ થઈ પડે તેવી મને લાગી છે. ગાંધીજીએ સ્વરાજનો શંખ ફૂક્યો અને દેશના ખૂણે ખૂણે સૈનિકે ઊભરાવા લાગ્યા. અમદાવાદ એ તે મુખ્ય છાવણી હતી. ૧૯૨૧-૨૨માં હું અમદાવાદ આવી રહ્યો, અને જી. વી. માવળંકરનું નામ પ્રથમવાર જ સાંળવ્યું. ભણકારા સંભળાતા કે જી. વી. માવળંકર એક ઓજસ્વી તરુણ છે, વકીલ છે અને ગાંધીજીના ચુસ્ત અનુયાયી છે. એ સાથે એમ પણ સાંભળ્યાનું કાંઈક યાદ છે કે બીજા એક માવળંકર છે, તે કટ્ટર સનાતની છેઅને ગાંધીજીની હિલચાલના વિરેધી પણ છે. આ બધું સાંભળવા પૂરતું હતું, પણ આગળ જતાં એક સમય એ આવ્યો જ્યારે જી. વી. માવળંકરને સાંભળવાની તક મળી. ઘણું કરી ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓએ હડતાળ પાડેલી એ દિવસે હતા. સાબરમતીના ખુલ્લા આકાશમાં વિદ્યાર્થીઓ અને નાગરિકોને માટે સમુદાય મળે. સૌ રાહ જોતા હતા કે માવળંકર ક્યારે ઊભા થાય. તેઓ ઊભા થયા અને અંગ્રેજીમાં ભાષણ ચાલ્યું. હું અંગ્રેજી તે વખતે ન જાણતો, એટલે તેમના સ્વર અને આરેહ-અવરેહથી જ કાંઈક કલ્પના કરતે. એ સ્વરમાં જેટલી મધુરતા હતી તેટલે જ અખલિત વેગ હતો. આથી વધારે પરિચય ત્યારે તે ન સધા, પણ ઘણે લાંબે ગાળે એવો અવસર અણધારી રીતે લા. ઘણું કરી ૧૯૪૫ ની વાત છે. શેઠ શ્રી ભેળાભાઈ જેશિંગભાઈ દલાલને ત્યાં ગિરિકંજ (મુંબઈ)માં મળવાનું બન્યું. ચર્ચાનો વિષય હતે શ્રી ભોળાભાઈએ ગુજરાત વિદ્યાસભામાં આપવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org