________________
આવે ને આટલા આઘાત કેમ ?
[ ૧૨૩.
ગુંજે છે. ડોકટરનું કથન એટલું જ હતું કે જો વસ્તુ સાચી હાય તા ઐતિહાસિક ભૂમિકા ન હોવા છતાં રાખવામાં શી અડચણુ? પરમાન ભાઈની દલીલ એ હતી કે, જે કાળ વિષે આપણે લખતા હોઈ એ તેના પૂરતા પુરાવાઓનુ અધ્યયન કર્યા સિવાય લખીએ તે! એ પ્રમાણિક ન ગણાય. પણ એમની વધારે સચાટ લીલ તેા એ હતી કે કાઈ પણ લખનારે લખ્યું હોય તેટલુ છપાવી કાઢવાને તે લેાકેાને પીરસવાના મેહ શા માટે જોઈ એ ? આ દલીલ સાંભળતાં જ ડૉકટરે તરત અતિ નમ્રપણે કહ્યું કે, ' ખુશીથી એ ભાગ કાઢી નાખેા. અલબત્ત, મેં ઐતિહાસિક પુરાવાઓનુ અધ્યયન નથી જ કર્યું. સામાન્ય વાચન તે કલ્પનાના બળે લખ્યું છે.’ડૉકટરની આ નિખાલસતાની મારા મન ઉપર બહુ ઊંડી છાપ પડી. તેઓ મને જ્યારે મળે ત્યારે કહેતા કે હું લખું છું પણ શીખાઉ છું. પરમાનભાઈ જેવા મારા લેખના કણ પરીક્ષક ન હોય તેા ક્યારેક કાચું પણ કપાય. આ છેલ્લા પ્રસંગે મેં મારી જાતને તપાસી તે મને પણ લાગ્યું કે હું લેખના પ્રથમ વાચને તે વિષે ચાક્કસ તે કડક અભિપ્રાય ન આપી શકયો એ મારી પણ નબળાઈ ખરી.
—પ્રબુદ્ધ જૈન, ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૭..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org