________________
કેટલાંક સંસ્મરણે [સદગત સાહિત્યોપાસક શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ)
[૨૦] પ્રબુધ જૈનના ૧૫-૧૨-૪૫ના અંકમાં શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈને દુઃખદ અવસાનની નેંધ લેતે અને હાર્દિક સામવેદના દર્શાવતે એક લેખ પ્રસિદ્ધ થયે છે. હું તે માત્ર મેહનભાઈ વિષેનાં મારાં કેટલાંક સ્મરણે જે તેમના સ્વભાવની વિવિધ બાજુઓનાં અને તેમની કર્મઠતાનાં નિર્દેશક છે તેને ગ્રથિત કરી તેમના પરલોકગત આત્માને શ્રદ્ધાંજલિ રૂપે અર્પિત કરું છું. પ્રથમ પરિચય
સને ૧૯૧૭ના ચોમાસામાં મુંબઈના વાલકેશ્વરના ઉપાશ્રયમાં હું તેમને પહેલવહેલે મળે. મોહનભાઈ પિતાને શ્રધેય મિત્ર વાડીલાલ મોતીલાલ શાહ અને શ્રીયુત નાથુરામ પ્રેમીજી સાથે ત્યાં મુનિશ્રી જિનવિજયજી પાસે આવેલા. આ પ્રાથમિક સ્વલ્પ પરિચયથી હું તેમના પ્રત્યે આકર્ષા અને એ આકર્ષણ ઉત્તરોત્તર વધારે પરિચયથી અને તેમના કાર્યાનિરીક્ષણથી વધતું જ ગયું. વિવેજ્યુક્ત ગુપ્પક્ષપાત
તેમનામાં સૌથી મોટો ગુણ ગુણપક્ષપાતને હતું. જ્યાં જ્યાં ગુણ નજરે પડે ત્યાં ત્યાં આકર્ષાવું એ એમને સહજ સ્વભાવ હતો. આમ છતાં પણ આ ગુણપક્ષપાત વિવેક્યુત રહેતું. પોતાના વિશિષ્ટ પક્ષપાતના પાત્રમાં સમયાન્તરે અસાધારણ ત્રુટિઓ માલુમ પડે તો પણ તેની ભકિતઉપાસના ચાલુ રાખવી એ તેમના માટે કદી શક્ય નહોતું. તેમનામાં કોઈ વિષે કદી આંધળી ભક્તિ નહોતી. દાખલા તરીકે: મેહનભાઈ સગત વા. મે. શાહનાં આકર્ષક લખાણે અને ઉત્તેજક વિચારોથી, તેમની પિતાની ભાષા વાપરીને કહ્યું તે શાહના અનન્ય ભક્ત થયેલા; પણ વખત જતાં તેઓ તેમના પ્રત્યે તટસ્થ થઈ ગયા. તેથી ઊલટું શ્રીયુત નાથુરામ પ્રેમીજી સાથેની તેમની મૈત્રી છેવટની ઘડી લગી કાયમ રહી હતી, એટલું જ નહિ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org