________________
સ્મૃતિશેષ દાદા
[ ૧૦
સમિતિ મળે ત્યારે જ એમને ખરા પરિચય સાધવાની તક સાંપડે. વર્ષમાં અનેક વાર એ સમિતિ મળે. છેલ્લે છેલ્લે ૯-૨-૫૬ના રાજ પણ એમને ત્યાં જ સમિતિ મળેલી. એક સભ્યના નાતે હું અમદાવાદ હોઉં ત્યારે તત્રિ-યત ગમે તેવી હોય, છતાં એ બેઠકમાં હાજર રહેવાના લાભ ખાળી ન શકું એવું આકર્ષણ દાદાસાહેબની કાર્ય પદ્ધતિ, વિચારસરણી અને ખુલ્લા દિલથી સૌ સાથે વાત કરવાની ટેવે જન્માવ્યું હતું.
કાર્યસૂચિમાં લખાયેલ કામકાજને લગતી વિગત એમણે પ્રથમથી જ સમજી લીધી હાય, એટલે ગમે તેટલાં કામેા પણ ત્વરાથી પતાવે. એ કામ-કાજ થયા પછી આપી શકાય તેટલા વધારે વખત આપીને પણ અનેક વાતા ઉપસ્થિત સભ્યા સમક્ષ એવી ખૂબીથી કરે કે સહેજે ઊઠવાનું મન જ ન થાય. એમની બધી વાતોને સામાન્ય સૂર એક જ અને તે એ કે જે કામ અનેક જણે સાથે મળી કરવાનાં હોય તેમાં અરસપરસ પૂરો વિશ્વાસ કેળવવા જોઈએ. કાંઈ ગૂઢ નહિ અને કાંઈ અન્યથા નહિ. મને તેમના આ સૂરમાં ગાંધીજીના જ સૂર સભળાતા.
સભાનું કામ પતે ત્યારે દાદા કાર્યકર્તાઓને અને સભ્યાને એક વાત અકૃત્રિમ રીતે નમ્રપણે કહેતા, કે વિદ્યાના ક્ષેત્રમાં તમે જે જે કામ કરશ છે તે અધા તે તે ક્ષેત્રમાં નિષ્ણાત છે. હું એ ક્ષેત્રને માનવી નથી. એટલે તમારા ક્ષેત્ર પરત્વે ઊંડાણમાં ઊતરી વિશેષ સૂચના ન કરી શકું, પણ બીજા ક્ષેત્રમાં પડ્યો છું છતાં વિદ્યા વિશેને મારા રસ જરાય ઓછે. નથી.. તેથી હું મારી ફરજ એટલી જ સમજું છું કે વિદ્યાના ક્ષેત્રમાં કામ કરનારા-એને બને તેટલી વધારેમાં વધારે અનુકૂળતા કરી આપવી અને તેમને સાધન પૂરાં પાડવાં. મેં તેમના આ વિચારને જીવનમાં સાકાર થતા સદા અનુભો છે.
દાદાની એક વિશેષતા તેમની સ્પષ્ટ દૃષ્ટિ ઉપરાંત તેમની ઉદારતામાં પણ જોયેલી. ઉદારતા પણ અનેકમુખી. સંપ્રદાય કે પંથના સંકુચિત ચેપ તે હોય જ શાના? પણ સામાન્ય રીતે ધણી માટી વ્યક્તિઓમાં અનુભવાય છે તેવા સંસ્થા પ્રત્યેતા સંકુચિત દૃષ્ટિકાણ પણ કદી મે ન જોયા. આમ તા તેઓ સીધી રીતે ગુજરાત વિદ્યાસભા ને તેને આશ્રયે ચાલતી બીજી સંસ્થાના જ મુખિયા હતા, પણ તે અવારનવાર સાચી રીતે કહેતા કે ગુજરાત વિદ્યાસભા હાય કે ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત વિશ્વવિદ્યાલય હોય કે વલ્લભવિદ્યાનગર, વડેાદરા યુનિવર્સિટી હાય કે લોકભારતી ગ્રામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org