________________
પરિચય થડે પણ છાપ ઘણી ઊંડી
[૧૫] ૧૯રરની વર્ષાઋતુમાં હું ભાવનગર પાસેના વાળુકડ ગામમાં હતો. જ્યાં ક્યારેક કલાપીએ વાસ કરેલો એ ઐતિહાસિક મકાનમાં હું શેઠ પ્રેમચંદભાઈના મિત્ર તરીકે રહેલે. મારું મુખ્ય કામ તો તત્વાર્થના લેખન અને તે અંગેના ચિંતન-મનનનું જ હતું. તે વખતે એ મકાનમાં કાંઈક સમારકામ પણ ચાલતું હતું. ઘણી મજૂરણે કામે આવતી, એ બધી વચ્ચે વચ્ચે સાથે મળી લેકગીતે લલકારતી જતી. એમાં એક મુખ્ય બાઈ હતી નામે મોંઘી. એને એટલાં બધાં લોકગીતે યાદ કે ખૂટયાં ખૂટે નહિ. નવું નવું ગાતી જાય ને બીજી બહેનને ગવડાવતી જાય. એ પિતે પણ સુકંઠી. એનાં લોકગીત હું તે જ્યારે સાવ નવરો પડું ત્યારે જ ઈચ્છાપૂર્વક સાંભળું, પણ મારી સાથે હતા ભાઈ છોટાલાલ મગનલાલ (ગુજરાતી સાહિત્ય મંદિરના માલિક) તેઓ નવરા પડે કે એ લોકગીતો ઉતારી લે. કયારેક ક્યારેક પ્રેમચંદભાઈ એ શ્રાવણની રાતેમાં બહેનને ગરબા લેવા બોલાવે. મેથી સૌમાં મેવડી. રાત ખૂટતી જાય પણ એનાં ગીતો ન ખૂટે. જેમ જેમ રાત ઠરે તેમ તેમ એને કંઠ રાતરાણીના ફૂલની પેઠે ખીલતો અને ઊઘડત જાય. છોટાલાલે કેટલાય દિવસોમાં કેટલીયે નોટો ભરી. એક દિવસે મેં કહ્યુંઃ
આટલી બધી નોટોનું શું કરશે? કેણુ વાંચશે ? અને આ તો બધાં ગીતે ગામડિયાં છે. તે વખતે ભાઈ છોટાલાલે કહ્યું કે “ઝવેરચંદ મેઘાણી પાસે લેકગીતોને ભારે સંગ્રહ છે ને એ એના ગવૈયા પણ છે. એમની કદર પૂરેપૂરી નથી થતી તો મારી નેટોની કદર શી થવાની છે? છતાં હશે તો કામ આવશે.”
ઝવેરચંદ મેઘાણીનું નામ આ વખતે પહેલવહેલું જ મારે કાને પડ્યું. તે વખતે એમને વિષે વિશેષ જિજ્ઞાસા ન થઈ પણ એવી જિજ્ઞાસાનું બીજ તો વવાયું જ.
સાલ યાદ નથી, ને પ્રસંગ પણ પૂરેપૂરો યાદ નથી આવતો, પરંતુ અમદાવાદમાં એક મેળાવડા પ્રસંગે એ જ મેઘાણીનાં ગીતે પહેલવહેલાં સાંભળ્યાં. તે વખતે મન ઉપર પહેલી છાપ એ પડી કે મેઘાણું નામ સાર્થક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org