________________
અર્થ, પણ એમને એવો સંકલ્પ ઊઠયો કે, હવે મારું જીવનકાર્ય મેં પૂરું કર્યું છે, ઉમર થઈ છે, વધારે કરવાનું રહ્યું નથી; તે પછી જીવન નકામું ગાળવું અને ઘડપણમાં બીજાઓની સેવા લેવી, એ આ મોંધવારી અને ગરીબીના સમયમાં યોગ્ય નથી માટે આમરણાંત અનશન કરવું.
અમે મિત્રે મુંબઈમાં એમને સમજાવવા મથતા કે, તમે હજી શક્ત છે; તમારી પાસે હજી ઘણું દેવા જેવું છે, અને તમારે સમગ્ર જીવનભાર અમે સહર્ષ વહીશું, તેમને અમારા બધા ઉપર વિશ્વાસ તે હતા, પણ પિતાના સંકલ્પથી ચુત થવા તેઓ તૈયાર ન હતા. તેઓ સંકલ્પના બચાવમાં જૈન પરંપરામાં જાણીતી ભારણાંતિક સલ્લેખનાની વાત કરતા; અને તથાગત બુદ્ધનાં કથનમાંથી પણ ટેકે આપતા. પ્રથમ પ્રથમ કૌશાંબીજી જેનોની ઉગ્ર તપસ્યાના સખત વિરોધી હતા. છતાં આ વખતે તેઓ એટલું કહેતા કે, એવી ભારણાંતિક તપસ્યાનું પણ જીવનમાં ક્યારેક સ્થાન છે જ. એમણે આવા વિચારથી પિતાને સંકલ્પ અડગ બનાવ્યો.
૧૯૪૬માં તેઓ અને હું ફરી કાશીમાં મળ્યા. હવે એ સંકલ્પ પાર, પાડવાની ઘડી તેમને મન આવી લાગી હતી. દેશમાં રમખાણે અને જ્યાં ત્યાં મારકાપ ચાલતાં હતાં. એમનાથી આ દુઃખ સાંભળ્યું પણ જતું નહીં. છેવટે અમે મિત્રો તેમના અડગ સંકલ્પને જોઈ મોળા પડ્યા અને અમે વિચાર્યું કે, હવે આમને રસ્તો કરી આપો. અનશન ક્યાં રહી કરવું, પરિશ્યમાં કોણ રહે, તે વખતે લેકે ભીડ ન કરે અને કોઈ પણ સ્થળે પ્રચાર ન થાયઆ બધા મુખ્ય પ્રશ્નો હતા. મને અને પં. શ્રી. દલસુખ માલવણિયાને એને ઉત્તર મળી ગયું અને અમે કૌશાંબીજીને કહ્યો.
સરયૂ નદીને તટે દેહરીધાટ પાસે સ્વામી સત્યાનંદનો આશ્રમ છે. એ. સ્વામી પ્રથમથી જ દલિતે દ્ધારક અને અસ્પૃશ્યતા–નિવારણના મકકમ કાર્યકર્તા, વિદ્વાન અને વિચારક; ત્યાગી અને તપસ્વી; ગાંધીજીને પણ એવા જ પ્રિય. એમની સાથે અમારે પરિચય અમને કહે કે, એમના આશ્રમમાં કૌશાંબીજી રહીને અનશન કરે, તે એમની બધી શરતે સચવાય. સ્વામીજી કબૂલ થયા. પણ પ્રશ્ન હતો શ્રદ્ધાળુ અને વિવેકી પરિચારકને. એવા એક પરિચારક પણ મળી ગયા. પ્રથમ સ્થાનકવાસી જૈન સાધુ પણ હવે નિષ્ઠાવાન લેકસેવક તરીકે જાણીતા સ્વામી ચૈતન્ય–અપરામ ચૂનીલાલજી–તેમણે પરિચર્યાનું બીડું ઝડપ્યું અને અમને બધાને નિરાંત વળી. દેહરીધાટવાળા આશ્રમમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org