________________
અધ્ય
[ ૬૯
વ્યવહારના અનેક પ્રસગોમાં મિત્રની પેઠે મહત્ત્વની સૂચના આપતા. નાહવા કે ખાવામાં કે એવી ખીજી ખાખતામાં કાંઈ પણ કહેવું હોય તે તે નિઃસકાચ કહેતા. કૌશાંબીજીના સ્વભાવમાં કડકાઈનું તત્ત્વ બહુ ઉગ્ર હતું. એને લીધે કેટલીક વાર ઘણા નિકટના મિત્ર સાથે પણ તેએ અથડામણીમાં આવતા. હું પણ એ અથડામણીને સાવ અપવાદ રહ્યો છું એમ તે ન જ કહી શકાય; પણ એવે પ્રસંગે હું સાવ મૌન રહી જતા; કારણ કે મે એમની કડક પ્રકૃતિમાં નિખાલસપણાનું અને ક્ષણિકપણાનું તત્ત્વ ખરાખર જાણી લીધેલું. કૌશાંબીજી પણ ઘેાડી વારમાં ઠેકાણે આવી જતા, મેાળા પડી જતા અને ઘણીવાર પંડિતજી’એવા મધુર આમંત્રણથી સખેાધી માફી પણ માગતા.
કૌશાંખીજી મૂળે ગોવાના, અને મહારાષ્ટ્રમાં વિશેષ રહેલા. તેમના જીવન–વ્યવહારમાં પણ મહારાષ્ટ્રીય ઉપરાંત ભિક્ષુક ધર્મનું તત્ત્વ હતું. તેઓએ બૌદ્ધ ભિક્ષુ તરીકે સીલેન, ખર્મા અને ભારતમાં જીવન ગાળેલું. બૌદ્ધ—પરંપરાના ક્ષણિકવાદની એમના જીવનમાં સજીવ છાપ હતી. વિદેશમાં વિશેષે કરી અમેરિકામાં એમણે જીવન ગાળેલું એટલે પાશ્ચાત્ય, રહેણી-કરીના પણ એમનામાં સંસ્કારો હતા. ક્ષણિકવાદના અને પશ્ચિમના સંસ્કારીએ તે તેમના આખા જીવનમાં કામ કર્યું છે એમ મને કેડ સુધી લાગતું હતું. કોઈ પણ સ્થાન કે કાઈ પણ કામને સનાતનની પેઠે ચોટી રહેવાની તેમની પ્રકૃતિ જ ન હતી. પ્રત્યેક ક્ષણે નવું નવું વાંચે અને વિચારે તેમ જ લાંખા વખત લગી સેવેલા સંસ્કારાને એક ક્ષણમાત્રમાં ફેંકી દેવા સુધીને પુરુષાથ પણ કરે. એમને જાણનાર દરેક એ સમજતા કે કૌશાંબીજી પેાતાની યાજના ગમે ત્યારે અણધારી રીતે બદલી નાખશે, તેમ છતાં તેમનામાં એક અનન્ય વફાદારી હતી. જે કામ એમણે લીધું હોય, જેનું વચન આપ્યું હોય તે ગમે તે ભાગે પૂરુંજ કરે, અને પાતાના કામને અને તેટલું સર્વાંગીણ તેમ જ વિચારયુક્ત કરવાની ાશિશ પણ કરે. ગરીબીમાં આગળ વધેલા અને ભિક્ષુક પણામાં વર્ષો ગોળેલાં એટલે તેમનામાં શરૂઆતમાં મેં આતિથ્યવૃત્તિ કાંઈક આછી જોયેલી, પણ તેમણે ગુજરાતમાં ઘણાં વર્ષો ગાળ્યાં અને ધણા ગુજરાતીઓનાં અસાધારણ આતિથ્યને પગલે પગલે અનુભવ કર્યાં. ત્યાર આદ મે તેમનામાં એ સ`સ્કાર અલાયલા જોયા. તેઓ પોતે ગુજરાતના જૈન અને જૈનેતરોના આતિથ્ય વિષે જ્યારે પ્રશંસાના ઉદ્ગાર કાઢતા ત્યારે હું જોઈ શકતા કે તેમના ઉપર ગુજરાતના આતિથ્યની જેવી છાપ છે તેવી ખીજા એકેય પ્રાન્તની નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org