________________
સ્ત્રી જાતિ અને દષ્ટિવાદ
[ ૧૦૭૫ કરાયે? આ તર્કોના સંબંધમાં સંક્ષેપમાં એટલું જ કહેવાનું છે કે માનસિક અથવા શારીરિક દોષ બતાવીને શાબ્દિક અધ્યયનનો જે નિષેધ કરાયેલ છે તે પ્રાયિક જણાય છે; અર્થાત વિશિષ્ટ સ્ત્રીઓ માટે અધ્યયનનો નિષેધ નથી. આના સમર્થનમાં એમ કહી શકાય કે જે વિશિષ્ટ સ્ત્રીઓ દષ્ટિવાદનું અર્થજ્ઞાન, વીતરાગભાવ, કેવળજ્ઞાન અને મોક્ષને પ્રાપ્ત કરવામાં સમર્થ થાય છે, તે પછી તેનામાં માનસિક દોષની સંભાવના પણ કેમ હોઈ શકે? તેમ જ વૃદ્ધ, અપ્રમાદી અને પરમ પવિત્ર આચારવાળી સ્ત્રીઓમાં શારીરિક અશુદ્ધિ પણ કેમ બતાવી શકાય? જેને દષ્ટિવાદના અધ્યયન માટે યોગ્ય માન્યા તે પુછો પણું–જેવા કે સ્થૂલભદ્ર, દુર્બલિક પુષ્યમિત્ર આદિ–તુચ્છવ, મૃતિદેવ વગેરે કારણોથી દૃષ્ટિવાદની રક્ષા ન કરી શક્યા. ' तेण चिंतियं भगिणीण इटिं दरिसे मि त्ति सीहरूवं विवइ ।
–આવશ્યક વૃત્તિ, પૃ. ૬૯૮–૧. 'ततो आयरिएहिं दुलियपुस्समित्तो तस्स बायणारिओ दिण्णो । ततो सो कवि दिवसे वायणं दाऊग आयरियमुवढि भगइ-मम वायण देतस्म नासति, जं च सण्णायघरे नाणुप्पेहियं, अतो मम अज्झरतस्स नवमं पुवं नासिहि ति । तोहे आयरिया चिंतेति-जइ तव एयस्स परममेहाविस्स एवं झरंतस्स नासह अन्नस्स चिरनट्ठं चेव।'
–આવશ્યકવૃત્તિ, પૃ. ૩૦ ૮. આવી વસ્તુસ્થિતિ હોવા છતાં પણ સ્ત્રીઓ માટે જ ભણવાને નિષેધ કેમ કરાય ? આ પ્રશ્નનો ઉત્તર બે રીતે આપી શકાય: (૧) સમાન સામગ્રી મળવા છતાં પણ પુરુષની સરખામણીમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું થડી સંખ્યામાં તૈયાર થવું, અને (૨) બીજી એતિહાસિક પરિસ્થિતિ.
(૧) જે પશ્ચિમ વગેરે દેશોમાં સ્ત્રીઓને ભણવા વગેરેની સામગ્રી પુરુષો સમાન પ્રાપ્ત થાય છે ત્યાંને ઇતિહાસ જેવાથી આ જાણી શકાય છે કે સ્ત્રીઓ પુરુષોની તુલ્ય થઈ શકે છે, પરંતુ યોગ્ય વ્યક્તિઓની સંખ્યા સ્ત્રી જાતિની અપેક્ષાએ પુરુષ જાતિમાં વધારે થાય છે.
| (૨) દિગંબર આચાર્ય કુંદકુંદ સરખાયે પણ શારીરિક અને માનસિક દોષના કારણથી સ્ત્રજાતિને દીક્ષા માટે અગ્ય ઠરાવી છે :
लिंगम्मि य इत्यीणं, थणंतरे णाहिकक्खदेसम्म । भणिओ सुहमो काओ, ता कह होइ पयज्जा ।।
– પાહુડગત સૂત્રપાહુડ ગા. ૨૪-૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org