________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગદર્શન
[૧૨૨૫ ગણાવવામાં આવ્યાં છે. જેમાં છ નિગ્રહસ્થાન અપ્રતિપત્તિ પક્ષમાં અને બાકીનાં સોળ વિપ્રતિપતિ પક્ષમાં આવે છે. તે બાવીસ આ પ્રમાણે (૧) પ્રતિજ્ઞાહાનિ (૨) પ્રતિજ્ઞાન્તર (૩) પ્રતિજ્ઞાવિરોધ (૪) પ્રતિજ્ઞા– સંન્યાસ (૫) હેવંતર (૬) અર્થાન્તર (0) નરર્થક (૮) અવિઝાતાર્થ (૯) અપાર્થક (૧૦) અપ્રાપ્તકાલ (૧૧) જૂન (૧૨) અધિક (૧૩) પુનરુક્ત (૧૪) અનનુભાષણ (૧૫) અજ્ઞાન (૧૬) અપ્રતિભા (૧૭) વિક્ષેપ (૧૮) મતાનુજ્ઞા (૧૯) પર્યનોપેક્ષણ (૨૦) નિરગુજ્યાનુગ (૨૧) અપસિદ્ધાંત (૨૨) હેવાભાસો. આમાં નંબર ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮ અને ૧૯ એ છ અપ્રતિપતિપક્ષીય છે. આ દરેકનું સોદાહરણ સ્વરૂપ નીચે મુજબ – ઘટને દૃષ્ટાંત અને એન્દ્રિયકત્વ (ઈદ્રિયગ્રાહ્યત્વ) ને હેતુ રાખી શબ્દને અનિત્ય સિદ્ધ કરવાની વાદીએ પ્રતિજ્ઞા કરી હોય તેટલામાં પ્રતિવાદી કહે જે અન્દ્રિયકત હતું તે સામાન્ય (જાતિ) માં છે જે કે નિત્ય છે. આ રીતે એન્દ્રિયકત્વ હેતુ વ્યભિચારી થાય છે. આ દૂષણ સાંભળતાં જ વાદી તે તેને ઉદ્ધાર કરવાને બદલે (નિકાલ આણવાને બદલે) એમ કહે “ત્યારે ભલે, સામાન્યની પેઠે શબ્દ નિત્ય સિદ્ધ થાય.” આમ કહેતાં તેણે નિયત્વ સ્વીકાર્યા એટલે પ્રથમ કરેલ અનિયત્વની પ્રતિજ્ઞા ગઈ. આ રીતે પ્રતિજ્ઞાહાનિ થવાથી તે પરાજય પામે છે. માટે તે પ્રતિજ્ઞાહાનિ નિગ્રહસ્થાન. પૂર્વોક્ત જ પ્રયોગ કરનાર વાદીને પ્રતિવાદી કહેજે એન્દ્રિયકત્વ સામાન્ય
માં છે છતાં તે નિત્ય છે એટલે હેતુ વ્યભિચારી છે. આ પ્રમાણે પ્રતિવાદી દ્વારા અપાયેલ વ્યભિચાર દોષને ઉદ્ધાર કરવાને બદલે વાદી એમ કહે જે સામાન્ય નિત્ય અને એન્દ્રિયક છે પરંતુ તે તે સર્વગત (સર્વવ્યાપી) છે અને શબ્દ તે અસર્વાગત છે. આ પ્રકારે કહેવામાં પ્રથમની અનિયત્વ સિદ્ધ કરવાની પ્રતિજ્ઞાથી ભિન્ન એવી શબ્દને અસવગત સિદ્ધ કરવાની અન્ય પ્રતિજ્ઞા પ્રાપ્ત થાય છે. તેથી તે પરાજય
પામે છે. માટે આ પ્રતિજ્ઞાાર નિગ્રહસ્થાન. (૩) દ્રવ્ય ગુણોથી ભિન્ન છે, કારણ કે રૂપ આદિ ગુણોથી ભિન્ન એવી કઈ
૧ આચાર્ય હેમચંદ્ર અને ગુણરત્નસૂરિ મતાનુસા સિવાયનાં પાંચને જ ‘અપ્રતિપત્તિમાં ગણે છે. જુઓ પ્રમાણમાં પત્ર ૩૨ પૃષ્ઠ ૨. તથા વર્ગનામુવા ટીકા પત્ર ૨૬-જાતિ અને નિગ્રહસ્થાનનું વર્ણન સરળતા ખાતર ૧. સ. ની ગુણરત્નની ટીકામાંથી લીધું છે.
(૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org