________________
૧૮]
દર્શન અને ચિંતન પ્રેરે છે, જે કે વસ્તુતઃ તે અવિરેધી જ ગણી શકાય. ગાંધીજીએ જૈન પરંપરાને માન્ય એવી નિવૃત્તિપક્ષી દેખાતી અહિંસા અપનાવી છે ખરી, પણ તેમણે પોતાના સર્વ કલ્યાણકારી સામાજિક ધ્યેયની સિદ્ધિ અર્થે તે અહિંસાના અર્થને એટલે બધો વિસ્તાર કર્યો છે કે આજની સ્થિતિમાં ગાંધીજીને અહિંસા ધર્મ એ એક પિતાને જ અહિંસા ધર્મ બની ગયું છે. એ જ રીતે આ દેશ અને પરદેશની અનેક અહિંસાવિષયક માન્યતાઓને તેમણે પિતાના લક્ષની સિદ્ધિને અનુકૂળ થાય એવી રીતે જીવનમાં વણું છે અને તે જ તેમને સ્વતંત્ર ધર્મ બની તેમની અનેકમુખી પ્રવૃત્તિઓનાં દ્વાર ખુલ્લાં કરે છે. આ દૃષ્ટિએ વિચારતાં એમ કહેવું જ પડે કે ગાંધીજીના જીવનમાં જૈન ધર્મ એના મૂળ અર્થ કે પારિભાષિક અર્થમાં નથી જ. એ રીતે એમ પણ કહી શકાય કે તેમના જીવનમાં બૌદ્ધ કે બીજા કોઈ ધર્મો તેના સાંપ્રદાયિક અર્થમાં નથી જ અને છતાં તેમના જીવનમાં જે જાતને ધર્મ સક્રિયપણે કામ કરી રહ્યા છે તેમાં બધા જ સાંપ્રદાયિક ધર્મોને યોગ્ય રીતે સમથે છે. મહાન આત્મા
ગાંધીજી આપણા જેવા જ એક માણસ છે. પણ તેમનો આત્મા મહાન કહેવાય છે અને વસ્તુતઃ મહાન સિદ્ધ થયે છે; અહિંસા ધર્મના લોકાભ્યયકારી વિકાસને લીધે જ.
ગાંધીજીને એક વાટકી ઉટકવાના કામથી માંડી મોટામાં મોટી સલ્તનત સામે ઝુંબેશ ઉઠાવવાની પ્રવૃત્તિ કરવી પડી ન હોત અથવા તો એ પ્રવૃત્તિમાં અહિંસા, સંયમ અને તપને વિનિયોગ કરવાની સૂઝ પ્રકટી ન હોત તે તેમને અહિંસાધર્મ કદાચ પેલી નિર્માસ ભજનની પ્રતિજ્ઞા જેવી મર્યાદાઓના અક્ષરસઃ પાલનની બહાર ભાગ્યે જ આવ્યું હોત. એ જ રીતે ધારે કે કઈ સમર્થતમ જૈન ત્યાગી હોય અને તેના હાથમાં સમાજની સુવ્યવસ્થા સાચવવા અને વધારવાનાં સૂત્ર સપાય, તેથી આગળ વધીને કહીએ તે તેને ધર્મપ્રધાન રાજતંત્ર ચલાવવાની સત્તાનાં સૂત્રો સંપવામાં આવે તે તે પ્રામાણિક જૈન ત્યાગી શું કરે? જે ખરેખર એ વારસામાં મળેલ જૈન
અહિંસાને વિકાસ કર્યા સિવાય કાંઈ જવાબદારીઓ લેવા ઈચ્છે છે તે નિષ્ફળ જ નીવડે. કાં તે તેણે એમ કહેવું રહ્યું કે મારાથી સમાજ અને રાજ્યની તંત્રસુધારામાં ભાગ લઈ ન શકાય; અને જે તે પ્રતિભાશાળી તેમ જ ક્રિયાશીલ હોય તે તે બધાં સોંપાયેલાં સૂવે હાથમાં લઈ તેને અમલમાં મૂકવા પ્રયત્ન કરે. આ પ્રયત્નનું પરિણામ એક જ આવી શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org