________________
અધ્ય
[૨૩
વિષય પણ બની જતું. જેમ જેમ ગાંધીજી પારમાર્થિક સત્યને આધારે વ્યાવહારિક ક્ષેત્રે વધારે ને વધારે ખેડતા ગયા, જેમ જેમ તેમની સામે કઠણ અને કઠણતર વ્યાવહારિક સમસ્યાઓ આવતી ગઈ, ધર્મ, કેમ, સમાજ, અર્થશાસ્ત્ર, રાજકારણ-આવા અનેક વિષેની જમાનાજની જટિલ સમસ્યાઓ ઉકેલવાને ભાર તેમના ઉપર આવતે ગમે તેમ તેમ તેમને પોતાના જીવનના ઊંડાણમાંથી પારમાર્થિક સત્યની મંગળમય અને કલ્યાણકારી બાજુએ વધારે ને વધારે બળ આપ્યું. એ બળ જ ગાંધીજીનું અમેઘ બળ હતું. ગાંધીજી ગમે તેવા ક્ષીણ હોય કે તપસ્યાથી કૃશ હોય ત્યારે પણ તેમના જીવનમાંથી જે આશ્ચર્યકારી તેજ અને બળ સ્ફરતું તેને સમજવાનું કામ કોઈને માટે પણ સહેલું નહતું. તે બળ અને તેજ તેમના પારમાર્થિક સત્ય સાથેના તાદાભ્યનું જ પરિણામ હતું. એમની વાણું કે એમની લેખિનીમાં, એમની પ્રવૃત્તિ કે એમની દેહસ્કૃતિમાં એ જ પારમાર્થિક સત્ય પ્રકાશતું.
ગાંધીજીના અનુયાયી ગણાતા માણસો પણ ગાંધીજીના જેવી જ દુન્યવી અને વ્યાવહારિક પ્રવૃત્તિ કરતા, પણ તેમને બધાને એમ લાગ્યા જ કરતું કે તેમના જીવનમાં ગાંધીજીનું તેજ નથી. આમ શા માટે ? એનો ઉત્તર ગાંધીજીની પારમાર્થિક સત્ય સાથેની પિતાના જીવનની વધારે ઊંડી એકરૂપતામાંથી મળી જાય છે. આવી એકરૂપતાએ દુન્યવી લેકજીવનનાં ઘણાં પાસાને સુધાર્યા છે, ઉન્નત કર્યા છે. આ બીના આપણને જેટલી વિદિત છે. તે કરતાં વધારે પ્રમાણમાં હવે પછીની પેઢીઓને વિદિત થશે. પ્રકૃતિનું તત્ત્વ જ એવું છે કે તેનું લેલક માત્ર એક જ દિશામાં નથી થતું. જ્યારે તે કઈ એક છેડા તરફ મૂકે છે ત્યારે તેની તદ્દન સામેની વિરુદ્ધ બાજુએ તેનાં આંદોલન શરૂ થાય છે. ગાંધીજીએ દુનિયાને મૂંઝવતા પ્રશ્નોને ઉકેલ સરળ માર્ગે આણવાનો કાર્યક્રમ છે . જે દુનિયા આજલગી ઝેરનું ઔષધ ઝેર જ છે, એવા સૂત્રમાં તથા કુટિલતાને જવાબ કુટિલતાથી જ અપાય એવા સૂત્રમાં માનતી, તેમ જ એવા સુત્ર પ્રમાણે જીવન જીવતી અને છતાં કઈ સારે કાયમી ઉકેલ આણું ન શકતી તે દુનિયાને ગાંધીજીએ નો માર્ગ બતાવ્યો કે ઝેરનું ખરું અને કાયમી એસિડ અમૃત જ છે; તથા કુટિલતા નિવારવાને સરળ અને સાચે ઇલાજ સરળ જીવન જીવવું એ જ છે. ગાંધીજીનું આ કથન નવું તે ન હતું, પણ એનું સર્વાગીણ વ્યાપક આચરણ સાવ નવું હતું. તેમનું એ નવજીવન ગમે તેટલું પારમાર્થિક સત્યને સ્પર્શતું હોય, તે દ્વારા બધા જ જટિલ પ્રશ્નોને ગમે તેટલે સરળ ઉકેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org