________________
અંતે આશ્વાસન કેનાથી મળે છે?
[૨]
બાપુજી બ્રહ્મભાવ પામ્યાને આટલા દિવસ વીત્યા પણ આપણાં અસ બંધ પડતાં નથી, રુદન અટકતું નથી. રેડિ ઉપર કેઈની આપેલી અંજલિ સાંભળીએ અગર કોઈ પણ પ્રકારનું છાપું સાંભળીએ-પછી ભલે દૈનિક, સાપ્તાહિક, માસિક કે અન્ય પ્રકારનું હોય, કોઈ પણ ભાષાનું હેય, કોઈ પણ કેમ, પંથ કે રાષ્ટ્રનું હોય તો તેમાંથી બાપુજીના નિધનથી વ્યાપેલ શોકને જ વાંચીએ છીએ અને વાંચતત જ આપણું હૃદય ભરાઈ આવે છે. કોઈ બીજાને દિલાસો આપનાર બાકી રહેતું જ નથી. આવું રુદન અદ્વૈત જગતે એના ઈતિહાસમાં કદી પણ જોયું હોય તેમ જાણમાં નથી.
આવું મહારુદન શા માટે? ઉત્તર મળે છે કે મહાકરુણાને વિયોગ પડ્યો છે. બાપુજીની કરુણા કેઈ પણ સંત કે મહંતની કરુણા કરતાં નોખા જ પ્રકારની હતી. ત્રિવિધ દુઃખના તાપથી તપી રહેલ માનવતાને શાન્તિ આપવા માટેની તેમની ધગશ અને તેમના પ્રયત્ન એ પણ જગાતે આજ સુધી નહિ જોયેલ એવી જ વસ્તુ છે. એનું વર્ણન કરવા માટે બુદ્ધિ અને વાણનાં સાધને સમિચ મવતિએ ન્યાયે અલ્પમાત્ર બની જાય છે, અધૂરાં પડે છે. - જ્યારે હિજરતીઓને કઈ આશ્વાસન કે દિલાસ આપવા અશક્ત હોય, જ્યારે અપહંત સ્ત્રીઓને કેઈ પણ ખૂણામાંથી ઉદ્ધારની આશાનું કિરણ ન દેખાતું હોય, જ્યારે કોઈ પણ એક વર્ગ ઉપર તેના વિરોધી વર્ગ દ્વારા અકથ્ય સતામણ ચાલી રહી હોય, અને જ્યાં સરકાર કે બીજા શુભેચ્છકેના કોઈ પણ પ્રયત્ન કારગત ન થતા હોય ત્યાં તે દરેક દુઃખીને પિતાના અંગત ચરિત્રબળ કે તપસ્યાબળથી રાહતને દમ કોણ ખેંચાવતું? એ તે બાપુજીની જીવતી અને અવિશ્રાન્ત કામ કરતી કરુણા જ હતી. બાપુજી. અમારા માટે કાંઈક કરશે જ એવી ખાતરી દરેક દુઃખીને દિલાસે આપતી.
અને બાપુજીને દુખની મહાળી હારવાને પ્રયત્ન પણ કે અદ્ભુત ને આખલીમાં વર્તેલ કાળા કેરના અગ્નિને તેઓની કરુણા એક રીતે હારે તે કલકત્તામાં વર્તેલ હત્યાકાંડને બીજી રીતે. બિહારમાં સળગેલી હેળીને એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org