________________
કથાપતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૨૯
પરિશિષ્ટ ૨. જૈન આગમાં મળી આવતું કથાપદ્ધતિને લગતું વર્ણન
જૈન આગમ સાહિત્ય પાંચ વિભાગમાં વહેંચાયેલું છે. (૧) સુર, (૨) નિજજુતિ, (૩) ભાષ્ય, (૪) ચૂર્ણ, (૫) ટીકા. આ પાંચ વિભાગ મળી પંચાંગી કહેવાય છે. સૂત્રમાંથી પ્રસ્તુત વર્ણન સ્થાનાંગમાં છે. તે નીચે પ્રમાણે –
વિકથા અને ધર્મકથાના વર્ણનપ્રસંગે ધર્મકથાના ચાર પ્રકારે પૈકી વિક્ષેપણું કથાના–એટલે શ્રોતાને કુમાર્ગેથી સુમાર્ગે લાવે તેવી કથાના–ચાર પ્રકારે આ પ્રમાણે બતાવ્યા છે –
(૧) સ્વસિદ્ધાંતને કહીને એટલે તેના ગુણોનું પ્રતિપાદન કરીને પર સિદ્ધાંત કહે એટલે તેના દેનું દર્શન કરાવે.
(૨) પરસિદ્ધાંત કહીને સ્વસિદ્ધાંતનું સ્થાપન કરે.
(૩) સમ્યગ્વાદ કહીને મિથ્યાવાદ કહે, અર્થાત પરસિદ્ધાંતમાં રહેલું અવિરુદ્ધ તત્વ બતાવી તેનું વિરુદ્ધતત્વ પણ દેવદર્શનપૂર્વક બતાવવું.
(૪) પરસિદ્ધાંતમાં દે બતાવી પછી તેના ગુણો પણું બતાવવા.
જ્ઞાત એટલે દષ્ટાંત ચાર પ્રકારનાં છેઃ (૧) આહરણ. (૨) આહારતદ્દેશ. (૩) આહરણતદ્દોષ. (૪) ઉપન્યાસપનય. આ ચારેને ચાર ચાર પ્રકાર બતાવતાં આહરણને ત્રીજો ભેદ સ્થાપના કર્મ અને ચોથે પ્રત્યુત્પન્ન વિનાશી એ બે ભેદ આવે છે. તે એક પ્રકારના ન્યાયવાક્યનાં અંગભૂત દૃષ્ટાંતિ જ છે. તે નીચે પ્રમાણે –
કઈ આપેલ અનિષ્ટ પ્રસંગને જે દષ્ટાંતદ્વારા દૂર કરી ઈષ્ટ તત્વનું સ્થાપન કરવામાં આવે તે દષ્ટાંત સ્થાપનકર્મ.
પ્રત્યુત્પન્નવિનાશી એટલે તત્કાળ જ પ્રાપ્ત થયેલ અનિષ્ટ સ્થિતિને નાશ જે દૃષ્ટાંતદ્વારા કરવામાં આવે છે.
१. विक्खेवणी कहा चउव्विहा पण्णत्ता तंजहा -ससमयं कहेइ, ससमयं कहित्ता परसमयं कहेइ, परसमयं कहेत्ता ससमयं ठावत्तित्ता भवति, सम्मावातं कहेइ, सम्मावातं कहेत्ता मिच्छावातं कहेइ, मिच्छावात कहेत्ता सम्मावातं ठावत्तिता મતિ . . . ૨૮૨ પૃ. ૨૧૦ આવૃત્તિ આગોદય સમિતિ.
२. आहरणे चउविहे पं. त. अवाते, उवाते, ठवणाकम्मे, पडष्पन्नविणासी । થા. . ૪૩૮ પૃ. ૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org