________________
૧૨૫૮ ]
દર્શન અને ચિંતન સ્વપક્ષને ઉપન્યાસ કરે; ત્યાર પછી ત્રીજી કક્ષામાં વાદી, પ્રતિવાદીના કથનને અનુવાદ કરી પ્રતિવાદીએ આપેલ દૂષણ ઉદ્ધરી યથાસંભવ હેવાભાસ દ્વારા પ્રતિવાદીને પક્ષ દૂષિત કરે. આ સાધન અને દુષણને જે ક્રમ આપે છે તે પ્રમાણે ચર્ચાની વ્યવસ્થા ફક્ત ત્યારે જ રહી શકે છે, જ્યારે વાદી અગર પ્રતિવાદીને કોઈ નિગ્રહસ્થાન ન મળે અને તે દ્વારા વિપક્ષને પરાભવ આપવાની તક ન મળે. જે વાદી અગર પ્રતિવાદીને એવું નિગ્રહસ્થાન મળી આવે કે જેના દ્વારા વિપક્ષને પરાજિત કરી શકાય તો તે પિતાના પક્ષનું સાધન અને સામાના પક્ષનું દૂષણ અગર સામા પક્ષકારે આપેલ દૂષણ ઉદ્ભરવાની બીજી કોઈ ભાંજગડમાં ન પડતાં તે નિગ્રહસ્થાનદ્વારા જ સામાને પરાજિત કરી દે છે. આ સ્થિતિ જ૮૫ અગર વિતષ્ઠાની હોય છે–નહિ કે વાદની. (ન્યા. સૂ, ૧. ૨. ૧. બીજી વિગતે માટે જુઓ પરિશિષ્ટ ૬)
આ પ્રમાણેને કેમ વૃતિમાં આપે છે. પણ ક્રમનું વિશેષ સ્વરૂપ વાદી દેવસૂરિએ પોતાના ગ્રંથમાં વર્ણવ્યું છે તે પણ જિજ્ઞાસુએ જેવા જેવું છે. તેમાં વાદી અને પ્રતિવાદીઓએ કેવી રીતે દાવપેચ ખેલવા અને જય પ્રાપ્ત કરે એનું સ્પષ્ટ વર્ણન છે. (જુઓઃ પરિચ્છેદ ૮, સે. ૨૨, રત્નાકરાવતારિકા ટીકા)
વિભાગ ૨ ચર્ચામાં છળ અને જાતિને પ્રવેગ કરવા વિષે મતભેદ
વાદ અને જલ્પકથા વચ્ચેનું અંતર બતાવતા અક્ષપાદન અનુગામી કેઈ કહે છે કે વાદમાં તે છલ અને જાતિ અસત્ય ઉત્તરરૂપ હોવાથી નથી જતી, પણ જલ્પમાં તે યોજાય છે, કેમ કે દુશિક્ષિત, કુતર્કથી વાચાળ, અને વિતષ્ઠાકુશળ પંડિત ૧ આદિ સિવાય બીજી રીતે કેમ છતી
१. ननु छलजातिप्रयोगोऽसदुत्तरत्वाद्वादे न भवति जल्पे तु तस्यानुज्ञानादस्ति વાયોર્વિરોષ:, ચલાહ. “ટુશિક્ષિતકુતરાહેરાવાવાસ્કિતાનના કાચ किमन्यथा जेतुं वितण्डाटोपपण्डिताः ॥१॥ गतानुगतिको लोकः कुमार्ग तत्प्रतारितः । मा गादिति छलादीनि प्राह कारुणिको भुनिः ॥२॥ प्रमाणमीमांसा पृ. ३५ દિ. ૬. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org