________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[૧૧] હિન્દુસ્તાનની જનતા એમ માને છે અને દાવો કરે છે કે દુનિયામાં બીજી કોઈ પ્રજા એમના જેટલી ધાર્મિક નથી, અને ધર્મને વારસે એમના જે અને એટલે બીજી કોઈ પ્રજાને મળ્યો નથી. જે આ માન્યતા સાચી હોય–અને અમુક અંશમાં તે સાચી છે જ–તે પ્રશ્ન થાય છે કે જેનાથી અકલ્યાણને કશે જ સંભવ નથી, જેનું પાલન એ તેના પાલન કરનારને રહ્યું છે, નીચે પડતા અટકાવે છે, તેવા ધર્મને વાર મળ્યા છતાં હિન્દુસ્તાનની પ્રજા પામર કેમ છે? આ પ્રશ્ન સાથે જ નીચેના પ્રશ્નો ઉદભવે છે શું ધાર્મિકપણાને વારસો મળ્યા વિષે હિન્દુસ્તાનની પ્રજાને દા એ એક ભ્રમ જ છે? અથવા ધર્મની જે અમોઘ શક્તિ માનવામાં આવે છે તે કલ્પિત છે ? અથવા બીજું એવું કોઈ તવ ધર્મ સાથે મળી ગયું છે કે જેને લીધે ધર્મ પિતાની અમોઘ શક્તિ પ્રમાણે કામ કરવાને બદલે ઊલટે પ્રજાના અધપાતમાં નિમિત્ત બને છે?
ઉપનિષદનું અત તત્વજ્ઞાન, જૈન ધર્મનાં તપ અને અહિંસાનાં અનુછાન, તથા બૌદ્ધ ધર્મને સામ્યવાદ આ પ્રજાને વારસામાં મળ્યાં છે. એ બીના એતિહાસિક હેવાથી તેને ધાર્મિકપણાના વારસા વિષે દાવ ખોટો નથી જ. કલ્યાણ સાધવાની ધર્મની અમેઘ શક્તિ સાચી હોવાની સાબિતી પ્રાચીન અને અર્વાચીન અનેક મહાપુરુષોના ખરા જીવનથી મળે છે. ઉત્તરના આ બે અંશે જે વાસ્તવિક હોય તે છેવટના પ્રશ્નને જ ઉત્તર વિચારવાનો બાકી રહે છે. એને વિચાર કરતાં અનેક પુરાવાઓ ઉપરથી આપણને એમ માનવાને કારણે મળે છે કે કોઈ બીજા એવા અનિષ્ટ તત્વના મિશ્રણને લીધે જ ધર્મની સાચી શક્તિ કુંઠિત થઈ ગઈ છે. અને તેથી તે ઈષ્ટ સાધવાને બદલે ભયાનક અનિષ્ટ સાધતી દેખાય છે. એ બીજું અનિષ્ટ તત્ત્વ કયું? અને જે પુરાવા ઉપરથી ઉપરની માન્યતા બાંધવાને કારણું મળે છે તે પુરાવાઓ કયા?—એ બતાવવું એ પ્રસ્તુત લેખને ઉદ્દેશ છે. -
ધર્મની શક્તિને તેના વાસ્તવિક રૂપમાં કામ કરતી કુંઠિત કરીને તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org