________________
સાંપ્રલકિતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૧૪૯કાપાલિક–(પીને બાકીનું ભિક્ષુ અને ક્ષપણકને અર્પે છે.)
આ પવિત્ર અમૃત પીઓ. એ ભવનું ભેષજ છે. એને ભૈરવ પશુપાશ
(સંસારબંધ)નો નાશનું કારણ કહે છે. (બંને વિચારે છે. ) ક્ષપણક–અમારા આહંત શાસનમાં મદ્યપાન નથી. ભિક્ષુ–કેવી રીતે કાપાલિકનું એઠું મધ પીશ? કાપાલિક–( વિચાર કરીને, ખાનગી) હે શ્રદ્ધ! શું વિચાર કરે છે ? આ
બંનેનું પશુત્વ હજી પણ દૂર થતું નથી. એ મારા મુખના સંસર્ગદેષથી મધને અપવિત્ર માને છે. તેથી તું જ પિતાના મુખના માથી પવિત્ર કરી એ સૂરા આ બંનેને ભેટ કર; કારણ, ઋતિકારે પણ
કહે છે કે સ્ત્રીઓનું મુખ તે સદાશુચિ છે. શ્રદ્ધા–જેવી ભગવાનની આજ્ઞા. (પાનપાત્ર લઈ પાઈને, તેમાંથી બચેલું
મધ આપે છે.) ભિક્ષુ–મોટી કૃપા. (એમ કહી પ્યાલે લઈ પીએ છે.) મધનું સૌન્દર્ય
આશ્ચર્યકારી છે. અમે વિકસ્વર બકુલપુષ્પના સુગંધ જેવી મધુર અને સ્ત્રીના મુખથી એંઠી એવી સુરા વેશ્યાઓની સાથે કેટલીયવાર અવશ્ય પીધી છે. અમને લાગે છે કે કાલિનીના મુખમાથી સુગંધિત થયેલ આ મદિરાને નહિ મેળવીને જ દેવગણ અમૃતની.
સ્પૃહા કરે છે. ક્ષપણક–હે ભિક્ષુ ! બધું ન પી. કપાલિનીના મુખથી એંઠી મદિરા મારે માટે. પણ રાખ.
(ભિક્ષુ ક્ષપણુકને ખ્યાલે ધરે છે.) * * ક્ષપણુક-(પીને) અહે! સુરાની મધુરતા અજબ છે! સ્વાદ અજબ છે, * ગંધ અજબ છે અને સૌરભ પણ અજબ છે! લાંબો વખત
થયાં આહંત શાસનમાં પડેલે હું આવા સુરાસથી વંચિત જ ન રહી ગયો. હે ભિક્ષ! મારાં અંગે ભમે છે. ત્યારે સૂઈ જઈશ. ભિક્ષુ–એમ કર. (બંને તેમ કરે છે.) ' ' કાપાલિક–હે પ્રિયે ! મૂલ્ય વિના જ બે દાસે તે ખરીદી લીધા. તેથી જરા
નાચીએ. (બને નાચે છે.) ક્ષપણક–અરે ભિક્ષુ! કાપાલિક અથવા આચાર્ય કપાલિની સાથે સુંદર નાચે.
છે, માટે તેઓની સાથે આપણે પણ નાચીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org