________________
સ્થાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
[૧૨૦૩
રહીશ એમ કહી તે વખતે હાજર થતા નહિ. ઈતર પંથના પરિત્રાજકા તેના આ વન ઉપર ટીકા કરવા લાગ્યા.”૯
ચાણકયના અર્થશાસ્ત્રમાં આન્વીક્ષિકી વિદ્યાનેા ઉલ્લેખ છે તે પૂર્વવર્તી ઘણા લાંબા સમયથી ચાલી આવતી અને ખીજી વિદ્યાઓની પેઠે સ્થિરતા પામેલી આન્વીક્ષિકીનેા જ સૂચક છે.
આ પુરાવા ચર્ચાપ્રવૃત્તિના સૂચક છે. તે ઉપરાંત જેમાં ચર્ચાને લગતા પદાર્થીનુ એક અથવા ખીજી રીતે વર્ણન હોય તેવા પણ પુરાવાના અભાવ નથી. જૈન આગમામાં પણ પ્રાચીન ગણાતાં અગિયાર અગા પૈકી સ્થાનાંગ નામના ત્રીજા અંગમાં કથા, દૃષ્ટાંત, હેતુ, વિવાદ અને દોષનું જે વન છે તે નિવૃત્તિપરાયણ જૈન નિગન્ક્રોની કથાપદ્ધતિવિષયક અદ્ભુત માહિતીના અને અક્ષપાદ ગૌતમથી વિષ્ણુ ત પદાર્થોં કરતાં કથાપદ્ધતિના વિષયમાં બીજી કાઈ સિન્ન પ્રાચીન પરંપરાના પુરાવા છે. સ્થાનાંગ નામના મૂળ આગમમાંનુ એ વન વળી જૈનપરંપરા પ્રમાણે પ્રાચીન ગણાતા ભદ્રબાહુદ્યુત નિશ્રુત્તિ નામના ગ્રન્થમાં પણ છે. સ્થાનાંગ અને નિવ્રુત્તિના એ વર્ષોંનથી એમ જણાય છે કે પ્રાચીન જૈન સાહિત્યમાં કથાપદ્ધતિવિષયક કાઈ ખાસ ગ્રન્થ અથવા પ્રકરણ પહેલાં હોવુ જોઈએ. સ્થાનાંગના એ પદાર્થીની વિગત માટે જુએ પરિશિષ્ટ ૨.
બૌદ્ધ સ ંપ્રદાયના પ્રાચીન ગણાતા ત્રિપિટક સાહિત્યમાં કથાપદ્ધતિવિષયક કાઈ ખાસ ગ્રન્થ રચાયા હોય તેનું સ્પષ્ટ પ્રમાણે અદ્યાપિ મારી જાણમાં નથી. છતાં અશોકના સમયમાં રચાયેલ મનાતા કથાવત્થનામક ગ્રન્થમાં આપણે જોઈ શકીએ છીએ કે તેની વનપતિ અને તેનું નામ એ બને કથાપદ્ધતિનાં જ સૂચક છે. એટલું જ નહિ પણ તેમાં નિગ્રહસ્થાન શબ્દને ઉલ્લેખ સુધ્ધાં છે અને તેનુ વર્ણન માટે ભાગે છળ, ખાસ કરી શબ્દછળથી ભરેલું છે. એ બધું તે સમયના અને તેના પુરાવતી સમયના વિદ્વાનોની માનસિક સૃષ્ટિ, વિચારદિશા અને લાકરુચિનું સૂચન કરે છે.
વૈદક સાહિત્યમાં સૌથી પ્રાચીન ગણાતા ચરકમાં કથાપદ્ધતિને લગતા પદાર્થોનું સવિસ્તર અને તે સમયનાં વૈજ્ઞાનિક ઉદાહરણાથી ભરપૂર વન છે. આ ગ્રંથને સમય જોકે અનિશ્ચિત છે તે પણ તેમાંનું પ્રસ્તુત વર્ણન ૯. બૌદ્ધ સધને પરિચય, પૃ. ૧૧૬
૧૦ જુઓ દુર્ગાશંકર શાસ્ત્રીના લેખ. પુરાતત્ત્વ પુ. ૩, પૃ. ૧૦૭. • ચરકસહિતાને દૃઢમલની અનુપૂર્તિ વગેરેને મૂળ ભાગ ઈ. સ. પૂર્વે ખીજા સૈકાથી ઈ. સ. પૂર્વે પહેલાં શતક સુધીમાં હોવા જોઈ એ. ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org